મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

રોબિનેશન ક્રુઝો ની કહાની

  'રોબિન્સન ક્રુઝો' આ બુકને વાંચન બાદ સંઘર્ષ શું કહેવાય તેની ખરેખર જાણ થાય છે. આ કહાનીએ 17 મી સદી આસપાસની છે જ્યારે યુરોપિયન લોકો સમગ્ર વિશ્વ પર રાજ કરતા હતા. આ વ્યક્તિને ભણવામાં કોઈ પણ પ્રકારનો રસ હોતો નથી પરંતુ તેના માતા પિતા એવું ઇચ્છતા હોય છે કે આ ભણી ગણીને સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે નું જીવન જીવે. તેના મા બાપ આ રોબિનને ઘણો બધો સમજાવે છે કે આપણી પાસે આટલી બધી ધનદોલત છે સંપત્તિ છે, તું સુખ શાંતિથી ખૂબ જ સારી એવી જિંદગી અહીં વિતાવી શકે એમ છો. પરંતુ રોબીનસન ને સમગ્ર વિશ્વ માં ભ્રમણ કરવાનું એટલી તાલાવેલી જાગે છે કે જેના કારણે તે પોતાની જિંદગી સામે જ મોટો પડકાર ઉભો કરે છે. રોબિનશન ખરેખર ઈશ્વરમાં માનતો ન હતો જ્યારે તે જહાજમાં જતો અને મુસીબત આવે અને મરવા ઉપર હોય ત્યારે તે ઈશ્વરને યાદ કરતો ઘણી બધી વખત એને ધારી લીધું કે હવે પછી સુખ શાંતિથી જીવન જીવવું છે અને આ દરિયામાં નથી જવું છતાં પણ એના મનની અંદરથી તાલાવેલી જાગે અને ફરી પાછો તે દરિયામાં જાય અને ફરી પાછી એક નવી મુસીબતમાં મુકાઈ જાય. આટલી બધી ધન દોલત પડતી મૂકીને આ વ્યક્તિ વિશ્વના ભ્રમણ માટે જાય છે એ જે જહાજમાં જતો હતો
તાજેતરની પોસ્ટ્સ

'પરાણે પ્રેમ'

                             આજકાલ આપણે પરાણે પ્રેમ કરવા માંડ્યા છીએ આ પરાણ નો પ્રેમ એટલે ' રૂપનો પ્રેમ ' નક્કી કરી લઈએ કે આ XYZ વ્યક્તિ સાથે મારે પરાણે પ્રેમ કરવો છે . એટલે આપણે તક શોધવા માંડીએ છીએ , વાત કરવાની અને એની સાથે સમય વિતાવવા માંડીએ છીએ અને પ્રેમ થઈ જાય છે . નવું નવું હશે ત્યારે સારું લાગે અને મજા આવે પછી થાકી જઈએ એટલે વિચારીએ કે પહેલો પ્રયત્ન સફળ ગયો હ તો એટલે હવે બીજી કોઈ XYZ વ્યક્તિને ગોતી અને તેની સાથે પરાણે પ્રેમ કરીએ . પ્રેમ એ એક એવી લાગણી છે , કે જે કોઈના શીખડાવવા થી શિખાઈ જતી નથી એ તો બસ થઈ જાય છે . ખબર ન પડે થઈ ગયું એમ એના સંકેત મૂળ એ જ હોઈ શકે કે તમે તમારા સાથીને કોઈ બાબતની વાત ન કરો છતાં તે તે બાબત વિશે જાણી જાય તે બાબતનો એને ભાસ થઈ જા ય . વાત કરતા કરતા બાઇ કીધા પછી પણ કલાક ફરી વાત કરવી , કોઈ વ્યક્તિ સારો છે , અને એની સાથે વિતાવેલ સમયમાં તમને આનંદ મળે છે , સંતોષ મળે છે તો તમે કદાચ પ્રેમમાં હશો . પ્રેમ એ એક એવું વિજાતી ય આકર્ષણ છે , કે જેમાં આકર્ષાય જોવાય છે , અત્યારે રૂપનું આકર્ષણ વધારે છે . કેટલાક વિચારોથી આકર્ષાય , કેટલાક પરિસ્થિતિથી

સમાજ વ્યવસ્થા: ધર્મ,જાતિ અને અનામત

  આજના સમયની સામાજિક વ્યવસ્થા જો કોઈ એક વ્યક્તિ કોઈ બીજા ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરે તો, 1) મુસ્લિમ પર્સનલ લો માં એવું લખવામાં આવ્યું છે કે જો ગેર મુસ્લિમ ધર્મ વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવે તો તે વ્યક્તિએ ધર્મ પરિવર્તન કરવું જરૂરી છે. 2) જ્યારે હિન્દુ ધર્મમાં એક વ્યક્તિ એક થી વધારે લગ્ન ન કરી શકે અને જો તેને કરવા હોય તો તે અન્ય કોઈ ઉપાય તરીકે ધર્મ પરિવર્તન કરે છે. અહીં મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ બને છે કે જો પતિ અને પત્ની એમ બંને વ્યક્તિએ બંને અલગ અલગ ધર્મના હોય તો તેના દ્વારા જે બાળક થાય છે તેને કયા ધર્મ કે કઈ જાતિનો ગણાવો મુશ્કેલી છે. જો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે અલગ ધર્મની હોય અને લગ્ન કરે તો સામાન્ય રીતે મહિલાઓને જ પોતાનો ધર્મ પરિવર્તન કરવાનું કહેવામાં આવે. અને ખરેખર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું એ મૂર્ખામી ભરી બાબત કહેવાય. જે વ્યક્તિ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તે વ્યક્તિને ધર્મ સાથે કોઈ લેવાદેવા હોતો નથી કારણ કે તેનો ધર્મ એક માત્ર પ્રેમ હોય છે. જો ધર્મ પ્રત્યે વફાદાર હોય તો તે પોતાના ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરત પરંતુ તે પ્રેમ પ્રત્યે વફાદાર છે. આ માટે ભારતે એક સમાન

ભુતકાળ શીખવે છે.

  ભુતકાળ શીખવે છે. કોણ કહે છે કે ઇતિહાસ જાણવો એ કંઈ કામનું નથી ઇતિહાસ આપણને જીવન જીવતા શીખવે છે. છેલ્લા એક મહિનાથી હું સ્વાર્થી, ઈર્ષા, અદેખાઈ, સ્વ: તુચ્છ્પણુ,અન્ય પર નિર્ભર રહેવું જેવા અનેક રોગોથી સંક્રમિત છું. હું પોતાને મહાન માનવા લાગ્યો છું. બીજાની ખામી કાઢવા લાગ્યો છું.પોતાને શ્રેષ્ઠ બતાવવા લાગ્યો છું. મેં અત્યારે બુક વાંચવાનું પણ છોડી દીધું છે. કારણકે હું સંક્રમિત છું.બુક મારો પ્રિય મિત્ર હતું મેં એને મૂકી દીધું અને હું અન્ય મિત્ર ની શોધ માં ચાલ્યો ગયો.  પછી ઘણા નવા મિત્રો મળ્યા તેને મને બદલી નાખ્યો મને upsc સિવાય કંઈ જ દેખાતું નહોતું અને હું મારા સમયનો એક પણ પળ ખોટી બક્વાસ માં વિતાવવા માંગતો નહીં આજે હું આખો દિવસ વગર કામના વહીવટ કરું છું.બે એવા મિત્રો હતા જેમને ખરેખર મોજ કરાવી, આણંદ અપાવ્યો,છોકરી સાથે નીકળતા થી વાતો કેમ થાય? તો શું થાય?એ સંદર્ભે સમજ આપી આ સમયમાં હું અઢળક નવા વ્યક્તિને મળ્યો છું પણ ઘણું બધું શીખ્યો છું. 1) જેમાંથી જ્યારે વ્યક્તિને બીજાને આગળ વધતા જોઈ ન શકે ત્યારે તેને પછાડવાનો પ્રયત્ન કરે છે. 2)વાતો કરવી અને કરી બતાવુ ઍ બને મા ફરક છે. 3)હું જ બધું છું એ સૌથી મોટી

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક......................   પ્રવેશ ના   દિવશે જ હયાન ને કોઈક ની શોધ હ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન પર જઈને રેલવે સ્ટેશનના એક ખૂણેથી