મુખ્ય સામગ્રી પર જાઓ

क्या हमारे छात्र राजनीती मे हि रह जायेगे?

વિદ્યાર્થી સંગઠન


ભારત એ વિશ્વમાં સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે. આ યુવાનો એક પ્રકારનું માનવ સંસાધન કહી શકાય. પરંતુ આ યુવાનો જેટલા પ્રમાણમાં ઉપયોગ થવો જોઈતો હતો એટલા પ્રમાણમાં નથી થઈ રહ્યો . મારા મત મુજબ જેટલા પણ વિદ્યાર્થી સંગઠનો છે તે લોકોએ આ બાબત પર ધ્યાન ધરવું જોઈએ મોટા ભાગના વિદ્યાર્થી સંગઠનોએ પોતાની રીતે રાજકીય સક્રિય છે અને પોતાનું સંગઠન વધારવા માટે રાજકીય પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓના અનેક મુદ્દાઓ ઉઠાવતા હોય છે જે માત્ર યુનિવર્સિટી પૂરતા જ હોય છે અથવા તો કોઈ કોલેજ પૂરતા સીમિત રહી જાય છે. પરંતુ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક આ બાબત ઉપર આ વિદ્યાર્થી સંગઠનો ઓછું ધ્યાન આપતા હોય એવું જણાય રહ્યું છે. 



મારા મત મુજબ આ કેટલાક મુદ્દાઓ છે જેના પર વિદ્યાર્થી સંગઠનોએ ધ્યાન ધરવું જોઈએ.


a. દરેક વિદ્યાર્થી સંગઠનમા રાજકીય બાબત ની અંદર મહિલા ઉપર ખાસ ભાર આપવો જોઈએ આપણે હાલમાં વિધાનસભા અને લોકસભાની પરિસ્થિતિ પણ જોઈ રહ્યા છીએ .અને તેમાં પણ મહિલાઓ નું પ્રભુત્વ ઓછું છે. આથી દરેક વિદ્યાર્થી સંગઠનોએ મહિલાને આગળ વધારવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. જો મહિલા રાજકીય ક્ષેત્રે આગળ વધશે તો તેના અંતર્ગત સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ મહિલાઓ આગળ વધી શકશે અને જેટલું યોગદાન ભારતને વિકાસ કરવા પાછળ પુરુષો આપે છે તેટલું સમાનાંતર યોગદાન મહિલા આપી શકશે.


 b. ઘણા બધા વિદ્યાર્થી સંગઠન ની અંદર કાર્યકર્તાઓ પોતાના કોલેજકાળ દરમિયાન કામ કરી રહ્યા હોય છે,ત્યારબાદ તેનો કોલેજકાળ પૂરો થઈ ગયા બાદ તેને જ્યારે નોકરી મેળવવાનો સમય આવે છે.ત્યારે તેઓ બેરોજગાર થઇ પડે છે અને કોઈ પણ કામ તેને મળતું નથી તો આ અંગે રોજગાર કઈ રીતે આપી શકાય એ અંગે નવા નવા પ્રયત્નો અને કાર્યક્રમો કરવા જોઈએ કઈ રીતે વિદ્યાર્થીને તકનિકી જ્ઞાન આપવામાં આવે અને તેને સીધો જ મોટી કંપની કે ઉદ્યોગો સાથે જોડીને એક જ સેતુનું કાર્ય કરવામાં આવે એ વિદ્યાર્થી સંગઠન એ વિચારવું જોઈએ.


 c. દરેક વિદ્યાર્થી સંગઠન ને એવા પ્રયત્નો કરવા જોઈએ કે જે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ છે, કે જે ભણી શકતા નથી તમામ વિદ્યાર્થીઓને પોતાની ગરીબીના કારણે ભણવાનું મૂકી દેવું ન પડે વિદ્યાર્થી સંગઠન કોઈપણ સામાજીક સંસ્થાના સાથે સંકળાયેલા હોય તો તેની પાસેથી પણ મદદ લઈને આ વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. તેમને નાણાકીય મદદ કરી શકે છે આ કાર્ય કરવું ખૂબ જરૂરી છે.


d. ખરેખર શરમ ની બાબતો એ છે કે વિદ્યાર્થી સંગઠન ના મુખ્ય નેતાઓ અને તેમાં રહેલા કાર્યકર્તાઓ  કેટલા વર્ષ કોલેજમાં ગાળ્યા બાદ પણ પાસ થઈ શકતા નથી અને અંતે તેઓ નેતા તો બને છે એક સમાજનું નેતૃત્વ તો કરે છે પણ છતાં તે અભણ કહેવાય છે . કારણ કે તેને માત્ર રાજકીય પ્રવૃત્તિ માં ધ્યાન આપ્યું છે, પોતાના શિક્ષણ પર ધ્યાન આપ્યું નથી આથી કાર્યકર્તાઓને ભણવા સમયે ભણવા પર ધ્યાન વધુ દોરવું જોઈએ 


 e. દેશનો પ્રાચીન ઇતિહાસ આપણે જાણીએ છીએ જેટલી વિશ્વની અંદર મોટી ખોજ થઈ છે. એ પ્રાચીન સમયમાં ભારતમાં થઇ ચૂકી હતી પરંતુ હાલનો સમય એવો આવ્યો છે કે આપણે વિદેશી ટેકનોલોજી અને વિદેશી જે જ્ઞાન છે એને આપણે સીધે સીધુ અપનાવી રહ્યા છીએ . ભારતના યુવાનો પોતાની તરફથી નવા વિકાસ અને સંશોધન ના કાર્યો કરતા અચકાય છે અને એ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવતું નથી એટલે જ અહીંના આઈઆઈટી અને આઈઆઈએમ માં ભણેલા છોકરાઓ વિદેશમાં જઈને નોકરી કરે છે ભારતમાં પોતાનો ભવિષ્ય આગળ વધારવા માંગતા નથી તો આવી રિસર્ચ ક્ષેત્રે કામગીરી થાય એ અંગે વિદ્યાર્થી સંગઠનોએ પ્રયત્નો કરવા જોઈએ તેના માટે ઍક અલગ કમિટીની નિમણૂક કરવી જોઈએ.


 f. વિદ્યાર્થી સંગઠનના તમામ કાર્યકર્તા નેતા બનવાના નથી, આમાંના ઘણા કાર્યકર્તા એવા છે. જે ચિત્રકામ,નૃત્ય છેતરે,ગાયન ક્ષેત્રે રમત-ગમતમાં આગળ વધી શકે છે. તો આ અંગે વિદ્યાર્થી સંગઠનોએ તેને યોગ્ય સપોર્ટ કરીએ ને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય કરવું જોઈએ.ભણતર સિવાયના અન્ય ક્ષેત્રમાં જે પણ વિદ્યાર્થી જવા માગતો હોય તેને ખાસ કરીને પરિવાર દ્વારા સપોર્ટ મળતો નથી અને તેને નાણાંની પણ અછત હોય છે તો આ અંગે ધ્યાન દોરવા ની જરૂર છે.


 g. કોઈ બળાત્કાર થતો હોય કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કોઈ વ્યક્તિ ખૂન કરતો હોય આ સિવાય અનેક અભ્યાસ પ્રવૃત્તિ જેમ કે વ્યસન કરતો હોય આવી તમામ પ્રવૃત્તિ જે વ્યક્તિ કરે છે તે એક સમયે તો પોતાના વિદ્યાર્થી કાળની અંદરથી પસાર થયો જ હોય છે તે ભણેલો હોય કે અભણ હોય પરંતુ જો આ તમામ સામાજિક બાબતો ઉપર વિદ્યાર્થી સંગઠનો દ્વારા સકારાત્મક પ્રચાર કરવામાં આવે તો આ બાબતોને અટકાવી શકાય છે અમુક વિદ્યાર્થી સંગઠનો ના કાર્યકર્તાઓ જ આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે તો તેને અટકાવવાની ખાસ જરૂરીયાત છે.


આ બાબત એ મારા અંગત મંતવ્ય છે અને કદાચ હું ખોટો પણ હોઈ શકું છું. મારા કહેવાથી કે ન કહેવાથી આ બાબત ઉપર કોઈપણ પ્રકારના પરિવર્તન થઇ શકવાનો નથી.

પરંતુ આ બાબતે પરિવર્તન લાવવાની શરૂઆત આપણે જ કરવી પડશે.

પરંતુ જો કોઈ એક પણ વિદ્યાર્થી સંગઠન આ અંગે પોતાના સંગઠનનાં સિદ્ધાંતો કે ધ્યેય ની અંદર આ બાબતોનો સમાવેશ કરે તો મને લાગે છે કે તેમાં ચોક્કસ પરિવર્તન આવશે આ અંગે ખૂબ જ વિસ્તૃત યોજના બનાવી પડે ખૂબ જ અધ્યયન કરવું પડે ત્યારે અમુક સામાજિક બદલાવ આવતા હોય છે.


તમામ વિદ્યાર્થી સંગઠનો એ પોતાના સંગઠન પ્રત્યે કામ કરતા હોય છે કોઈપણ વિદ્યાર્થી સંગઠન એવું નથી વિચારતો કે મારે આ દેશને એક ઉજ્જવળ અને યુવા ભવિષ્ય આપવું છે તમે ભલે તમારે પાર્ટી અંતર્ગત રહેલા વિદ્યાર્થી સંગઠન ચલાવતા હોય પરંતુ સંગઠન માટે અને દેશ માટે કામ કરવું જોઈએ તો ઉપર ઉપરોક્ત તમામ બાબતોની અંદર પરિવર્તન સકારાત્મક આવશે.


કંઈ વધારે લખાઈ ગયું હોય તો માફ કરજો અને ભૂલ હોય તો તેમાં સુધારો કરજો

 


-Kevin changani 

#તટસ્થ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન પર જઈને રેલવે સ્ટેશનના એક ખૂણેથી

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક......................   પ્રવેશ ના   દિવશે જ હયાન ને કોઈક ની શોધ હ

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                             પ્રેમએ એવી ફીલિંગ છે. જેનું કોઈ નિશ્રીત સ્થાન નથી. તે માત્ર માણસના હદયમાં જ નહીં પરંતુ પ્રાણિઓ,પક્ષીઓ અને આ કુદરત પણ પ્રેમમાં પડે છે. તમને શું લાગે છે કે તમને કોઈ ગમે એટલે પ્રેમ એમ? નહીં બધાને બધી સારી વસ્તુ ગમે જ છે. પ્રેમ એટલે પ્રે

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ થાય અને પછી ગાર્ડન નો મળે એટલે જ્યા કોઇ જોય નો જાય એવિ જગ્યાની જરૂર પડે. ઍમા એવું છે કે અત્યારના પ્રેમિઓને ચીપકવુ બોવ ગમે છે.                             

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય. સોજવાડી ઍ તો જેને પડ્યા હોય તેને જ ખબર હોય .લોકડાઉન હોવાથી  ધર ની બહાર કોઇ નિકળવા દેતુ નથી. boyfriend કે girlfriend સાથે વાત કરવી હોય તો whatapp chat  મા કે instagram મા કરવી પડે છે. પપ્પા બાજુ મા જ બેઠા હોય video call થય શકતો નથી. લોકડાઉનમા 8-9 દિવસથી પ્રેમીઓઍ ઍક બીજા ના ચહેરા નથી જોયા. ઍક બીજાનો સરખી રિતે અવાજ નથી સાંભળયો.                     અમુક તો પોતાના પ્રેમી ને kiss કરવાનુ પણ મન થતુ હશે. પેલ

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતાં આવડે છે. ? તેને મને જવાબ આપ્યો નહીં તો તમે આ રોજ ભાગવતગીતામાં શું વાંચો છો? મને તેને કીધું કે ગીતા વાચવાથી પુણ્ય મળે છે॰ અને આપ

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક્યારેક તો ગણિતના સરવાળા, બાદબાકી મને આંગળીના વેઢે

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે સમય રહયો માત્ર રહી ગઈ છે તો ફક્ત યાદો જ.एक बार पुरानी यादो  को ताजा करके तो देखो. કેવી મજા આવે છે. નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા કે દાદા-દાદી ના ખોળામાં સૂઈ જતાં પણ હવે તો બધાને ખબર જ છે કે મોટા થઈ ને લોકો કોના ખોળ