મુખ્ય સામગ્રી પર જાઓ

કોરોના કાળમાં થયેલા મારા અનુભવો

 

કોરોના કાળમાં થયેલા મારા અનુભવો


આ લેખની અંદર કોરોના સમયમાં થયેલા હું મારા અનુભવો જણાવવા જઈ રહ્યો છું.તમે પણ તમારા અનુભવો જણાવી શકો છો.જેનાથી સમગ્ર પરિસ્થિતિ શું હતી તેનું જાણ થઈ શકે. અને જો આગળના સમયમાં આવી પરિસ્થિતિ સર્જાય તો તેને કઈ રીતે નિયંત્રિત કરવી તેનો અનુભવ પણ થઈ શકે.


આટલા વર્ષોના વર્ષો વીતી ગયા પરંતુ લોકોએ ક્યારેય આવી બીમારી જોઇ ન હતી.આની પહેલા સુરતની અંદર પ્લેગ ફાટી નીકળ્યો હતો. પરંતુ આટલા મોટાપાયે નુકસાન થયું ન હતું કોરોના ના કેસ ધીમે ધીમે જ્યારે ભારતની અંદર શરૂ થયા ત્યારે લોકો ખુબજ ડરી ગયા હતા કે આ રોગની દવા નથી તો અમારું હવે શું થશે.ત્યારબાદ સરકાર દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું જેના કારણે સમગ્ર અર્થતંત્ર થંભી ગયું હતું. અચાનક lockdown જાહેર કરવાના કારણે અનેક લોકોને અનેક મુશ્કેલીઓ પડી હતી જેને કોઈ સીમા ન હતી ઘણા મજૂરો એવા હતા કે જેને પોતાના મૂળ વતન એ જવું હતું એ જઈ શક્યા ન હતા પરંતુ પાછળથી તેને રેલવે દ્વારા પોતાના વતનમાં મોકલવામાં આવ્યા હતા. આ સમયની અંદર સંપૂર્ણ અર્થતંત્ર ખોરવાઇ ગયું હોવાના કારણે ઘણા એવા પણ લોકો હતા કે જે બે ટાઈમ નું ખાવાના પણ ક્ષમતા ન હતી. પરંતુ સુરતની અંદર અનેક સેવાભાવી સંસ્થાઓએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું અને ખૂબ જ સારી એવી કામગીરી બજાવી હતી લગભગ કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા પેટે સુવા ન દીધા હતા.આ સમયે અનેક લોકો સૌરાષ્ટ્ર જવાનું થયું ત્યારે પણ મફતમાં સુરત થી સૌરાષ્ટ્ર બસની વ્યવસ્થા પણ આ સામાજિક સેવાભાવી સંસ્થાઓએ કરી હતી જેની કામગીરી ખૂબ જ પ્રશંસનીય ગણી શકાય છે. આ સામાજિક સંસ્થાઓએ અનેક વિધવાઓને  અનેક અનાથ બાળકોને  પણ ઘણી ખરી મદદ કરી છે.જે કામ સરકારને કરવાનું હતું એ કામ આ તમામ સામાજીક સંસ્થાઓ કરી રહી હતી. આ રોગની કોઈ સચોટ દવા નથી આથી લોકોની અંદર ભય પણ ખૂબ હતો સમગ્ર દેશની અંદર પોલીસ અને સૈન્યના જવાનો lockdown ચુસ્તપણે પાલન કરાવવા ગોઠવી દેવામાં આવ્યા હતા. જેની કામગીરી પણ ખુબ જ સરાહનીય ગણી શકાય છે .પરંતુ ઘણી વખત પ્રજા સાથે ગેરી રીતે ભર્યુ વર્તન પણ થયું છે. અને ખોટી રીતે માર પણ મારવામાં આવ્યા છે એવા પણ બનાવો સામે આવ્યા છે જે ખૂબ જ નિંદનીય ગણી શકાય છે.આ ઉપરાંત લોકોએ પોતાના ઘરમાં મનોરંજન માટે ટીવીમાં મહાભારત અને રામાયણ જોવાનો પણ આનંદ મેળવ્યો હતો તેમજ ફેમિલી સાથે સમય વિતાવવાનો પણ આનંદ મેળવ્યો આ ઉપરાંત લોકો ઘરમાં રહીને અનેક નવી-નવી વાનગીઓ બનાવતા હતા સાથે મળીને અનેક રમતો રમતા હતા. અને એકબીજાને નજીકથી જાણવાનો આ મોકો મળ્યો હતો. 



         વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ અટકી પડ્યું હતું જેના કારણે તેઓ મોબાઈલ દ્વારા ગેમ રમવાની કે એ સમયે ott  પ્લેટફોર્મ પર આવતી વેબ સિરીઝ નું પ્રચલન ખૂબ હોવાથી તે જોઈને પોતાનો સમય પસાર કરતા હતા.આ ઉપરાંત જે લોકો સ્પર્ધાતમક પરીક્ષાની તૈયારી કરતા હતા તે લોકો માટે સોના જેવો સમય હતો અને તે લોકો ઘરે જ બેસીને પોતાની તૈયારી શરૂ કરી દીધી હતી.

કોરોનાના વેવની અંદર વિદેશોમાંથી પણ ભારતની મદદ માટે ધણા બધા નાણા મલ્યા હતા.અને પ્રથમ સમયગાળાની અંદર who એ પણ ભારતની પ્રશંસા કરી હતી. કોરોના ના 1st વેવની અંદર ગામડાઓની પરિસ્થિતિ ખૂબ જ સારી હતી જ્યારે શહેરોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ રહી હતી.


કોરોના સમયમાં પણ અનેક લોકોની જાગરૂકતા ન હોવાના કારણે અનેક વિવાદો સામે આવ્યા હતા અને ભારતીય મીડિયા દ્વારા આવા કપરા સમયની અંદર પણ હિંદુ મુસ્લિમ કરવાનું છોડવામાં આવ્યું ન હતું અને પોતાની ટીઆરપી અને સરકારની ઇમેજ ચમકાવવા માટે અનેકને કાવતરું ઘડવામાં આવ્યા હતા. ભારતીય મીડિયા એ આ સમયની અંદર લોકોના મગજમાં થી ડર કાઢવા ના બદલે ડર બેસાડવાનું કામ કર્યું છે.લોકોને ઉપયોગી થાય લોકોને મનોરંજન પૂરી પાડે તેવા સમાચારો ના સ્થાને લોકોમાં તણાવનું પ્રમાણ વધે તેવા સમાચારો મોટાભાગે ભારતીય મીડિયા એ આપ્યા છે. કોરોના કાળની અંદર સુશાંત સિંહ રાજપૂત નું મૃત્યુ થયું તેનું કવરેજ મીડિયાએ  લગભગ ત્રણ મહિના સુધી ચલાવ્યું હતું જે લોકોને પણ જોવું ગમતું ન હતું આ સમયની અંદર જ વિકાસ દૂબેને એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું આ સમયની અંદર હાથરસ ની ઘટના બની હતી. પરંતુ મીડિયા યોગ્ય કામગીરી બજાવી શકી ન હતી એવું સ્પષ્ટપણે કહી શકાય છે.


ઘણા બધા લોકો પોલીસ પર પથ્થરમારો કરયો હતો ડૉક્ટર ને પણ માર મારવામાં આવ્યો આવા અનેક વિવાદો સામે આવ્યા હતા જે લોકોની આ બીમારી પ્રત્યેની જાગૃતિનો અભાવ ના કારણે સર્જાયું હોય એવું કહી શકાય છે.


આ ઉપરાંત દેશના પ્રધાનમંત્રી દ્વારા તાલી વગાડી,થાળી વગાડી, દીવડો પ્રગટાવીને કોરોના યોદ્ધાઓ નો સન્માન કરવા માટે એના પ્રોત્સાહન માટેના અનેક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા હતા જેની પાછળ થી લોકો દ્વારા નિંદા કરવામાં આવી હતી.


ધીમે ધીમે કોરોનાના પ્રથમ વેવ પ્રમાણ ઓછું થયું અને અર્થતંત્ર ધીમે ધીમે ખૂલવા લાગ્યું હતું સરકાર દ્વારા અર્થતંત્ર અને યોગ્ય દિશામાં વાળવા માટે આત્મનિર્ભર ભારત જેવા પેકેજ બહાર પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત રાસન મફત આપવામાં આવ્યું હતું અને જન ધન ખાતા ની અંદર મહિલાઓને પંદરસો રૂપિયા આપવામાં આવ્યા હતા.આમ સરકાર દ્વારા જનતાને સહાય પણ આપવામાં આવી હતી આ સહાય નો કેટલો ઉપયોગ થયો અને કેટલું સફળ રહ્યું તેના વિશે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. જેમ જેમ કોરોના નો પ્રથમ wave પૂર્ણ થયો કે તરત જ લોકોએ નવી દુનિયાની અંદર પ્રવેશ કર્યો કારણ કે કોરોના બાદ મોટાભાગના લોકો એ પોતાના કામ ધંધા છોડી ને online બિઝનેસની અંદર ઝંપલાવ્યું હતું અને એમેઝોન ફ્લિપકાર્ડ જેવા અનેક ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પોતાનો નવેસરથી ધંધો શરૂ કરવા લાગ્યા હતા.


આ સમયગાળામાં શિક્ષકોની પરિસ્થિતિ ખૂબ જ કથળી ગઈ હતી. જેનું કારણ એ હતું કે વિદ્યાર્થીઓને શાળા કોલેજ બંધ હોવાના કારણે શિક્ષકોને પણ યોગ્ય પગાર મળી શકતો ન હતો જેના કારણે અનેક શિક્ષકોએ પોતાની નોકરી મૂકીને અન્ય ધંધાઓ શરૂ કરવાનું વિચાર્યું હતું. આ ઉપરાંત બાળકોના શિક્ષણમાં પણ ઘણો બધો પ્રભાવ પડ્યો છે.બાળકો સતત બે વર્ષથી યોગ્ય જ્ઞાન મેળવી શક્યા નથી જેની અસર આગામી સમયમાં જૉવા મળશે. કોલેજો ખુલ્યા બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓને ભણવામાં મન ન હતું કારણ કે વિદ્યાર્થીઓ અને વ્યવસાય સાથે સંકળાયેલ ગયા હતા. અને તેમને ભણવાનું પણ મન થતું ન હતું.


ધીમે ધીમે સામાન્ય જિંદગી બની રહી હતી અને કેસમા પણ ઘટાડો થઈ રહ્યો હતો અનેક દેશોએ વેક્સીનની શોધ કરી નાખી હતી. અને ભારતે પણ અંતે વેક્સિન માં સફળ રહ્યું હતું વેક્સિન મળ્યા બાદ તેનો આપવાની પ્રક્રિયા એ ખૂબ જ ધીમી રહી હતી જેના કારણે અનેક વેક્સીનનો જથ્થો બગડી ગયો હતો. અને નકામો નાખી દેવો પડયો હતો. ઘણા બધા રાજ્યો ની અંદર ચૂંટણીઓ પણ થવા લાગી હતી અને સરકાર પોતાના પૂરા જોશથી આ ચૂંટણીની અંદર સમય અને નાણાં વેડફી રહી હતી પરંતુ કોઈને પણ ખબર ન હતી કે કોરોના હજી સમાપ્ત થયો નથી તેનું રૌદ્ર સ્વરૂપ હજી બાકી હતું. આવી ચૂંટણી ની અંદર મેં ખૂબ જ રસ લીધો હતો કારણ કે આ મારો પ્રથમ મત અનુભવ હતો.

https://authorfactory.blogspot.com/2021/02/blog-post_22.html?m=1

વેક્સિન ની પ્રક્રિયા ધીમી ચાલવાના કારણે તેમજ ઓક્સિજન ની ખપત, remdesivir ઇન્જેક્શન ની ખપત અને સરકાર ચૂંટણીઓમાં વ્યસ્ત હોવાના કારણે કોરોના ધીમે ધીમે વધતો ગયો અને આ વખતે સરકારે કોઈપણ પ્રકારનો lockdown કર્યું નહીં ગામડામાં કોરોના ના બીજા વેવ ખૂબ જ ભયંકર અસર થઇ અને શહેરમાં દર્દીઓ સારા થઈ જતા હતા જો હું સુરતની વાત કરું તો કોરોના ના બીજા વેવની અંદર અનેક સામાજિક સંસ્થાઓએ આઇસોલેશન વોર્ડ ખોલવામાં આવ્યા હતા કે જ્યાં દર્દીઓને સવારથી સાંજ સુધી ની અનેક સ્વાસ્થ્ય અનુરૂપ ખોરાકો આપવામાં આવતા હતા આ ઉપરાંત ડોક્ટરની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ બધું એ મફતમાં કરવામાં આવ્યું હતુ. આ કોઈપણ સરકાર દ્વારા નહીં પરંતુ સામાજિક સંસ્થાઓ દ્વારા મળીને કરવામાં આવ્યું હતું અને જેમાંથી 1500થી વધારે દર્દીઓ રિકવર થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. આવી સામાજિક સંસ્થાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ સેવા મોકલવામાં આવ્યા હતિ.અને ત્યાં પણ આવી સુવિધા ઊભી કરવામાં આવી હતી અને ગ્રામ્ય વિસ્તારને પણ જરૂરી મદદ કરવામાં આવી હતી .ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતતા નો અભાવ હતો જેના કારણે ત્યાં લોકો રિકવર થઇ શકતા ન હતા અને ગામની અંદર આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા હતા જે સામાજિક સંસ્થાઓ અને રાજનૈતિક પાર્ટી ઓ દ્વારા પણ થયાં હતા.


બીજા વેવની અંદર પરિસ્થિતિની વાત કરીએ તો સ્મશાનમાં પણ લોકોને બાળવા ની જગ્યા ન હતી એવા અનેક વીડિયો સામે આવ્યા છે.પરંતુ સરકાર આટલા બધા કેસ આવા છતાં પણ ખોટા આંકડા બતાવી રહી હતી મોટાભાગની સુવિધાની ખપત હતી. આજ સમયગાળાની અંદર નવા રોગોનો ઉદભવ પણ થવા લાગ્યો હતો. જેમ કે મ્યુકર કોશિશ એટલે કે ફૂગ થવી ત્યારબાદ બ્લૅક અને વાઇટ ફુગ અને પ્રકારો પણ સામે આવ્યા છે આમ કોરોના ની બીજી વેવ ખૂબ જ સંકટ ભરી રહી હતી.


આ સમયગાળાની અંદર સરકાર દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી કારણ કે સરકારે ચૂંટણીઓમાં વ્યસ્ત હતી. આ ઉપરાંત સરકાર દ્વારા lockdown પણ કોરોના અન્ય કેસો ઘટતા લગાડવામાં આવ્યું હતું અને lockdown પણ એવું લગાડવામાં આવ્યું હતું કે કહેવા પૂરતા જ માત્ર ધંધા બંધ હતા પરંતુ બધા જ લોકો પોતાની રીતે ધંધો ચલાવી રહ્યા હતા. આ સમયે પણ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા હતા.


ઘણા બધા લોકોએ વેક્સિન મુકાવી પરંતુ આ ઘણા એવા લોકો છે જેમને વ્યક્તિના પ્રથમ ડોઝ મુકાયા બાદ બીજો ડોઝ મૂકવા માટેની વેક્સિન ઉપલબ્ધ નથી એટલે કે સરકાર પાસે પૂરતી માત્રામાં વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ ન હતો. જેના કારણે સરકાર પોતાના આ નિર્ણયમાં અસફળ રહી છે. અને પોતાની જનતાને યોગ્ય સુવિધા પૂરી પાડી શકી નથી. કોરોના ના બીજા સમયગાળાની અંદર શિક્ષણની પરિસ્થિતિની વાત કરીએ તો શિક્ષણમાં વિદ્યાર્થીઓને પ્રથમ વેવ ની અંદર જે રીતે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું એ જ રીતે માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું.


આ બધી જ સેવાઓની સાથે સાથે ગુજરાતની અંદર ધેયરાજ સિંહ માટે નો જે કેસ બન્યો તેમાં પણ ગુજરાતના લોકોએ જાગૃતિ દેખાડીને ધેયરાજ સિંહ માટે 16 કરોડ નું ઇન્જેક્શન નાણાં ઊભા કર્યા હતા એ ખૂબ જ લોકો માટે સરાહનીય કામ ગણી શકાય છે.



મારા દાદા અને કાકા એમ બંને વ્યક્તિઓ ને કોરોના થયો હતો જેના નામ ઉપરથી હું તમને જણાવી શકું છું કોરોનાની અસર શરૂઆતમાં જ તમને થાય ત્યારથી જ તમે જો ઘરે યોગ્ય સંભાળ લઈ રહયા હોય તો તમને વધુ અસર થવાની સંભાવના નથી અને ઘરે જ મટી જશે આ કોઈ બહુ મોટો રોગ નથી માત્ર આપણે તેનાથી ડરીએ છીએ અને તનાવ ઉત્પન્ન થવાના કારણે તેનું પ્રમાણ વધતું જાય છે એ પણ એક વાસ્તવિકતા છે જ્યારે મારા કાકા ને દાખલ કરવામાં આવ્યા ત્યારે ઘરનો કોઈપણ વડીલ અહીં સુરત હાજર ન હતો જેના કારણે મારે આ બધું જ અનુભવ કરવા પડ્યા અને જેના પરથી મને  એ જાણવા મળ્યુ કે કઈ રીતે ખરાબ પરિસ્થિતિ ને નિયંત્રિત કરી શકાય છે.કઈ રીતે નાણાં એકઠા કરવા કઈ રીતે દાખલ કરવા ડૉક્ટર સાથે કઇ રીતે વ્યવહાર કરવો આવા અનેક અનુભવો મને થઈ ચૂક્યા છે. પહેલા મને લાગ્યું કે મારે આઈ એસ ઓફિસર બનવું ન  જોઈએ કારણકે આવી પરિસ્થિતિ ની અંદર હું ખૂબ જ ગભરાઈ જઉં છું પરંતુ પાછળથી મને લાગ્યું કે નહીં મને ખૂબ જ સારી રીતે આ બધી પરિસ્થિતિઓને કાબૂમાં લાવવાની ક્ષમતા  છે અને આ એક ને મારો નાનકડો અનુભવતો આગળ જઈને વધારે તાકાત થી લોકોના પ્રશ્નો વધારે નિરાકરણ લાવી શકું એવી મારામાં સમતા છે.


આપ કોરોના ના બંને સમયગાળાની અંદર અનેક અફવાઓ પણ ફેલાવવામાં આવી હતી.તમને ખબર જ છે કે સોશિયલ મીડિયા દ્વારા ઘણી બધી ખોટી માહિતીઓ લોકો સુધી પહોંચાડવામાં આવતી હોય છે આ ઉપરાંત ખૂબ જ સારી એવી કામગીરી વિદેશીઓ દ્વારા કરવામાં આવી છે વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા મોટા પ્રમાણમાં ફંડ ભારતમાં મોકલવામાં આવ્યું છે.માત્ર ને માત્ર પોતાના દેશના મદદ માટે કોરોના ના બીજા વેવની અંદર મનોરંજન માટે આઈપીએલ ચાલુ કરવામાં આવી હતી આ ઉપરાંત ધંધાઓ સમગ્ર lockdown હતું પરંતુ લોકો પોતાની રીતે ગુજરાન ચલાવી શકે એવું વાતાવરણ હતું.


આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ કોરોના ના કેસો પણ ગામડામાં હતા અને સાથે સાથે તોક્તે વાવાઝોડું પણ આવ્યું હતું જેના કારણે સૌરાષ્ટ્રના અને ગામડા ની અંદર ખૂબ જ નુકસાન થયું હતું અનેક લોકો ઘર વિહોણા બન્યા હતા અનેક લોકોના ઢોરો મરી ચૂક્યા હતા અને આ વીજળીની અને પાયાની સુવિધાઓના થયો હતો જેમાં પણ સૌરાષ્ટ્રથી જનરેટર ની સુવિધાઓ અને અનેક પ્રકારની સુવિધાઓ પહોંચાડવામાં આવી હતી. આમ આ વિપત્તિના સમયે સામાજિક સંસ્થાઓએ ખૂબ જ સારું એવું કામ કર્યું એવું કહી શકાય છે.


આ ઉપરાંત તમે તમારા અનુભવો પણ કોમેન્ટમાં જણાવી શકો છો કે જેનાથી લોકોને કોરોના ના સમયમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના અનુભવો ની જાણ થઈ શકે.


કેવીન કુમાર ચાંગાણિ 


મારા પરિવારને સંકટ સમયે મદદ કરવા બદલ ધર્મેશભાઈ ભંડેરી(aap) હાર્દિક કાછડીયા(bjp) અને સમગ્ર ડોક્ટરની ટીમ(નીષઠા હોસ્પિટલ) ને ખુબ ખુબ આભાર સમય આવીએ હું તમને મદદ કરીશ.


#તટસ્થ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન પર જઈને રેલવે સ્ટેશનના એક ખૂણેથી

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક......................   પ્રવેશ ના   દિવશે જ હયાન ને કોઈક ની શોધ હ

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                             પ્રેમએ એવી ફીલિંગ છે. જેનું કોઈ નિશ્રીત સ્થાન નથી. તે માત્ર માણસના હદયમાં જ નહીં પરંતુ પ્રાણિઓ,પક્ષીઓ અને આ કુદરત પણ પ્રેમમાં પડે છે. તમને શું લાગે છે કે તમને કોઈ ગમે એટલે પ્રેમ એમ? નહીં બધાને બધી સારી વસ્તુ ગમે જ છે. પ્રેમ એટલે પ્રે

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ થાય અને પછી ગાર્ડન નો મળે એટલે જ્યા કોઇ જોય નો જાય એવિ જગ્યાની જરૂર પડે. ઍમા એવું છે કે અત્યારના પ્રેમિઓને ચીપકવુ બોવ ગમે છે.                             

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય. સોજવાડી ઍ તો જેને પડ્યા હોય તેને જ ખબર હોય .લોકડાઉન હોવાથી  ધર ની બહાર કોઇ નિકળવા દેતુ નથી. boyfriend કે girlfriend સાથે વાત કરવી હોય તો whatapp chat  મા કે instagram મા કરવી પડે છે. પપ્પા બાજુ મા જ બેઠા હોય video call થય શકતો નથી. લોકડાઉનમા 8-9 દિવસથી પ્રેમીઓઍ ઍક બીજા ના ચહેરા નથી જોયા. ઍક બીજાનો સરખી રિતે અવાજ નથી સાંભળયો.                     અમુક તો પોતાના પ્રેમી ને kiss કરવાનુ પણ મન થતુ હશે. પેલ

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતાં આવડે છે. ? તેને મને જવાબ આપ્યો નહીં તો તમે આ રોજ ભાગવતગીતામાં શું વાંચો છો? મને તેને કીધું કે ગીતા વાચવાથી પુણ્ય મળે છે॰ અને આપ

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક્યારેક તો ગણિતના સરવાળા, બાદબાકી મને આંગળીના વેઢે

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે સમય રહયો માત્ર રહી ગઈ છે તો ફક્ત યાદો જ.एक बार पुरानी यादो  को ताजा करके तो देखो. કેવી મજા આવે છે. નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા કે દાદા-દાદી ના ખોળામાં સૂઈ જતાં પણ હવે તો બધાને ખબર જ છે કે મોટા થઈ ને લોકો કોના ખોળ