મુખ્ય સામગ્રી પર જાઓ

ફિનલેન્ડની શિક્ષણ પદ્ધતિ

                   

                   'મારે ભણવું નથી'




ભારતનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે વિદ્યાર્થીઓના મનમાં શિક્ષણ મેળવવાની ભણવાની આશા જ જન્મથી નથી. તમે જે અવારનવાર સાંભળ્યું છે કે ભણવાથી કોનું ભલુ થયું છે? તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગાર છે જે લોકો અભણ છે તે તો કોઈપણ નાના-મોટા કામ ની અંદર લાગી ગયા છે પરંતુ જે લોકો શિક્ષણ લીધું છે એજ બેરોજગાર રહી ગયા છે ભારતની અંદર જો કોઈના વિદ્યાર્થીને સરકારી નોકરી જોઈતી હોય તો તેની ભરતી સમયસર બહાર પડતી નથી અને ભરતી બહાર પડે તો પેપર લીક થાય છે અને વિદ્યાર્થીઓનું મનોબળ તુટી જાય છે આવા અનેક શિક્ષણ પદ્ધતિ અંદર અને ભારતીય પ્રશાસનની અંદર ખામીઓ જોવા મળી છે. આજના સમયમાં ભારતના યુવાનો ભણવા પણ જાય છે તો તે માત્ર ને માત્ર ડિગ્રી મળી જાય એ માટે જેનાથી ડિગ્રી મળે તો સારા સ્થાને લગ્ન થવાની સંભાવના વધી જાય છે, હાલના સમયમાં વિદ્યાર્થીઓના મનની અંદર આવા જ વિચારો ચાલી રહ્યા છે જે એક વાસ્તવિકતા છે.

ભારતમાં પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું.જે શિક્ષણ મુજબ આશ્રમમાં રહેવાનું લાકડા,કાપતા શીખડાવે, ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું, વેદો ગ્રંથો અને એકદમ સાદું જીવન જીવતા શીખડાવામાં આવતું.જીવનની અંદર અને દુઃખ કષ્ટ આવતા તેનો કઈ રીતે સામનો કરવો એ શીખવવામાં આવતું.જે રાજા મહારાજાના પુત્રો હોય તે રાજકુંવરો ને યુદ્ધ વિદ્યા શીખવવામાં આવતી હતી અને શિક્ષણ માત્ર બ્રાહ્મણ વર્ગ જ આપતો હતો. હડપ્પા સંસ્કૃતિ માં સ્ત્રીઓને માન સન્માન મળતું અને સ્ત્રીઓ પણ શિક્ષણ લેતી હોય એવા અવશેષો મળી આવ્યા છે જ્યારે આર્યકાલમા પણ સ્ત્રીઓ ને માન સન્માન હતું અને સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવી શકી હતી.પરંતુ વૈદિક કાળ આવતા જ સ્ત્રીઓનું માન-સન્માન અને માત્ર રાજા મહારાજાના પુત્રી જ શિક્ષણ મેળવી શકતી હતી. ત્યારબાદ મહિલા શિક્ષણનો વ્યાપ ધીમે ધીમે ઘટવા લાગ્યો. મધ્યકાલીન સમયમાં ઘણા બધા આક્રમણો થયા જેના કારણે ફારસી,અરબી, ઉર્દુ જેવી અનેક ભાષાઓ ભારતીય પરિપ્રેક્ષ્યમાં આવી આધુનિક સમયમાં અંગ્રેજો આવતા અંગ્રેજી ભાષાનો વ્યાપ વધ્યો આ ઉપરાંત અંગ્રેજી મશીનરીઓ પણ આવી હતી અને ખ્રિસ્તી ધર્મ નો પણ ભારતની અંદર પાયો નખાયો હતો.

શિક્ષણની આ સફર આપણે વધુ ઊંડાણપૂર્વક જાણીઍ તો શિક્ષણ જગતની અંદર ભારતના પરિપ્રેક્ષમાં આવેલા પરિવર્તનો વિશે આપણે જાણી શકીએ છીએ.પરંતુ આજની ૨૧મી સદીની શિક્ષણ પદ્ધતિ વિષે ભારતે ખૂબ જ વિચાર વિમર્શ કરવાની જરૂર છે. ભારત પોતાના શિક્ષણના સ્તર ના કારણે દુનિયા પોતાનું આગવું સ્થાન ધરાવી રહ્યો નથી એ હકીકત છે. વિશ્વની top 200 યુનિવર્સિટીઓમાં પણ ભારતની એક પણ યુનિવર્સિટીનું સ્થાન નથી.ભારત ના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જર્મની, કેનેડા,ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશમાં અભ્યાસ કરવા જાય છે અને ત્યાં જ સ્થાયી થઈ જાય છે. ભારતની શિક્ષણ નીતિ વિશે તો આપણે ભારતમાં રહીએ છીએ એટલા માટે આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ એટલા માટે એના વિશે વધુ વાત કરવાની આપણે જરૂર નથી.પરંતુ વિશ્વની સૌથી શ્રેષ્ઠ શિક્ષણ નીતિ એટલે કે ફિનલેન્ડ શિક્ષણ નીતિ એના વિશે આપણે થોડુંક માહિતી મેળવીએ જેના કારણે આપણે તેના પરથી સમજી શકીએ કે શિક્ષણ નું મોડલ કેવું હોવું જોઈએ.

1) ફિનલેન્ડમાં ધોરણ ૧ થી ૬ સુધી માત્ર એક જ વર્ગ શિક્ષક હોય છે. જે બાળકને યોગ્ય મૂલ્યાંકન કરે છે અને બાળકની જે ખામી અને બાળકની જે તાકાત છે એ જાણે છે અને 6 ધોરણ પૂર્ણ થયા બાદ બાળકની ખામી અને એની તાકત એ પોતે તેના માતા-પિતાને જણાવે છે,ને એ અનુસાર બાળકને કયા ક્ષેત્રની અંદર આગળ વધવું જોઈએ તે જણાવે છે.

2) ફિનલેન્ડમાં સાત વરસનો જ્યારે બાળક થાય ત્યારે તેને પ્રથમ વર્ગની અંદર સ્થાન મળે છે અને સાત વર્ષથી જ શિક્ષણ શરૂ થાય છે.

3) ફિનલેન્ડમાં રહેલા કોઈપણ વ્યક્તિને જ્યાં સુધી શિક્ષણ મેળવવું હોય જે પણ ક્ષેત્રમાં શિક્ષણ મેળવવું હોય એ તમામ પ્રકારનું શિક્ષણ ફ્રીમાં આપવામાં આવે છે.

4) સમગ્ર દેશની અંદર એક શિક્ષક યુનિવર્સિટી છે, કે જ્યાં શિક્ષકોને એકસરખી તાલીમ આપવામાં આવે છે, કે જેથી વિદ્યાર્થીઓને એક જ સરખું ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે.

5) સબ્જેક્ટ ટીચર બનવા માટે એ જે તે સબ્જેક્ટ ની અંદર માસ્ટર હોવા જરૂરી છે.

6) ત્યાંની લેંગ્વેજ ઇંગલિશ નથી તેથી ત્યાંના બાળકોને ઇંગલિશ શીખવા માટે સંગીતનો સહારો લેવામાં આવે છે.

7) દેશમાં એકતા વધે અખંડિતતા જળવાઈ રહે અને ત્યાંના નાગરિકો માં ભાઈચારાની ભાવના કેળવાય રહે એ માટે બાળકોને ટીમ મેનેજમેન્ટ અને એકતાનું મહત્વ સમજાવતી અનેક રમતો રમાડવામાં આવે છે.

8) બાળક પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને બે ઓપ્શન આપવામાં આવે છે.એક વોકેશનલ કોર્સ અને બીજો upper class school.

9) વોકેશનલ કોર્સ જેમ કે,ડાન્સિંગ, video editing, singing હોય કે કોઈપણ ફેક્ટરીની અંદર કામ કરવા જવાનું હોય તેમાં જઈ શકે છે.અને ત્યાં તેને પ્રેક્ટિકલ અનુભવ કરાવવામાં આવે છે કે ધારો કે કોઈ બાળકને પ્લમ્બર બનવું છે તોય તે બાળકને પ્લમ્બર ની પ્રેકટિસ કરાવવામાં આવે છે. કોઈને વાણંદ બનવું છે તો એ વિદ્યાર્થીને વાળ કાપવાની પ્રેકટિસ કરાવવામાં આવે છે અને તે પોતાના જ ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ કઈ રીતે બની શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.

આપણે જોયું કે પ્રેક્ટિકલ શિક્ષણ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રિન્સિપાલ, શિક્ષક,વિદ્યાર્થીઓ એ તમામ સમાન છે ત્યારે એકબીજાને તે ઓર્ડર કરતા નથી કે સૂચના આપતા નથી પરંતુ એકબીજાને કામમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ શિક્ષણની શિક્ષક તરીકેની નોકરી મેળવવી હોય તો તે નોકરી સૌથી ઊંચામાં ઊંચી નોકરી ગણાય છે.અને તેના માટે સૌથી મુશ્કેલ એક્ઝામ પણ આપવી પડે છે. આ પરથી જાણી શકાય છે કે ત્યાં શિક્ષણ કેટલું મહત્વ હશે. આ ઉપરાંત ફિનલેન્ડની બહાર જે વિદ્યાર્થીને રોજગાર મેળવવા માટે જવું છે. તે વિદ્યાર્થીને અનેક ભાષાઓ શીખવવામાં આવે છે, કે જેના કારણે તે બહારના યુરોપીય દેશોમાં પણ જઈને પોતાનું ગુજરાન ચલાવી શકે.


આમ આપણે ભારત દેશ શિક્ષણ પદ્ધતિને ફિનલેન્ડ શિક્ષણ પદ્ધતિની તુલના કરીએ તો ભારતીય શિક્ષણ પદ્ધતિ કેટલી પાછળ રહી ગઈ છે આપણને જાણવા મળે છે એક સમય હતો જ્યારે આર્યભટ્ટ, સુશ્રુત, ચાણક્ય, હેમચંદ્રાચાર્ય જેવા અનેક મોટા વિદ્વાનો થઈ ગયા કે જેને દુનિયાને શૂન્ય ની શોધ થી લઈને પૃથ્વી થી સૂર્ય સુધીનું અંતર કેટલુ છે એવી અનેક શોધો કરી પરંતુ આજના સમયમાં શોધકો એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ ભારતમાં નજીવું છે અને ભારત વિદેશી ટેકનોલોજીને દત્તક લેશે એવું પણ કહી શકાય છે કોઈપણ નવા પ્રયત્નો કરતો નથી. આશા છે કે આ ક્ષેત્રે સુધારો થશે.

મને આશા છે કે વિદ્યાર્થીઓના મનમાં મારે ભણવું નથી ના સ્થાને મારે ભણવું પણ છે મારે બીજાને ભણાવા પણ છે અને દેશના વિકાસની અંદર મારે મહત્વનો ફાળો આપવો છે એ ભાવના પેદા થવી તેવી આશા છે.

કેવીન કુમાર ચાંગાણી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન પર જઈને રેલવે સ્ટેશનના એક ખૂણેથી

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક......................   પ્રવેશ ના   દિવશે જ હયાન ને કોઈક ની શોધ હ

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                             પ્રેમએ એવી ફીલિંગ છે. જેનું કોઈ નિશ્રીત સ્થાન નથી. તે માત્ર માણસના હદયમાં જ નહીં પરંતુ પ્રાણિઓ,પક્ષીઓ અને આ કુદરત પણ પ્રેમમાં પડે છે. તમને શું લાગે છે કે તમને કોઈ ગમે એટલે પ્રેમ એમ? નહીં બધાને બધી સારી વસ્તુ ગમે જ છે. પ્રેમ એટલે પ્રે

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ થાય અને પછી ગાર્ડન નો મળે એટલે જ્યા કોઇ જોય નો જાય એવિ જગ્યાની જરૂર પડે. ઍમા એવું છે કે અત્યારના પ્રેમિઓને ચીપકવુ બોવ ગમે છે.                             

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય. સોજવાડી ઍ તો જેને પડ્યા હોય તેને જ ખબર હોય .લોકડાઉન હોવાથી  ધર ની બહાર કોઇ નિકળવા દેતુ નથી. boyfriend કે girlfriend સાથે વાત કરવી હોય તો whatapp chat  મા કે instagram મા કરવી પડે છે. પપ્પા બાજુ મા જ બેઠા હોય video call થય શકતો નથી. લોકડાઉનમા 8-9 દિવસથી પ્રેમીઓઍ ઍક બીજા ના ચહેરા નથી જોયા. ઍક બીજાનો સરખી રિતે અવાજ નથી સાંભળયો.                     અમુક તો પોતાના પ્રેમી ને kiss કરવાનુ પણ મન થતુ હશે. પેલ

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતાં આવડે છે. ? તેને મને જવાબ આપ્યો નહીં તો તમે આ રોજ ભાગવતગીતામાં શું વાંચો છો? મને તેને કીધું કે ગીતા વાચવાથી પુણ્ય મળે છે॰ અને આપ

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક્યારેક તો ગણિતના સરવાળા, બાદબાકી મને આંગળીના વેઢે

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે સમય રહયો માત્ર રહી ગઈ છે તો ફક્ત યાદો જ.एक बार पुरानी यादो  को ताजा करके तो देखो. કેવી મજા આવે છે. નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા કે દાદા-દાદી ના ખોળામાં સૂઈ જતાં પણ હવે તો બધાને ખબર જ છે કે મોટા થઈ ને લોકો કોના ખોળ