મુખ્ય સામગ્રી પર જાઓ

ધોરણ 10 -12 પછી શુ?

 



ધોરણ 10 પછી શુ?



મિત્રો મને ખબર છે કે દસમા ધોરણના મારા મિત્રો ઓછા હોવાથી આ લેખ તે વાંચી શકશે નહીં પરંતુ જે પણ મિત્રો આ લેખ વાંચી રહ્યા છે કે મિત્રોને વિનંતી છે કે દસમા ધોરણના વિદ્યાર્થી સુધી આ લેખ પહોંચાડે જેથી તેના પ્રશ્નોના નિરાકરણ થાય અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને.


મિત્રો આ લેખ હાલની પરિસ્થિતિમાં કે જે વિદ્યાર્થી મિત્રોને પરિક્ષા લીધા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેને ધોરણ-૧૧ અને ૧૨ મા કયા ક્ષેત્રની અંદર આગળ વધુ તેના અંગે ના જેટલા પણ કાંઈ પ્રશ્નો છે તેના નિરાકરણ માટે લખવામાં આવ્યો છે.

મિત્રો સૌ પ્રથમ તો હું મારા 10 મા ધોરણ નો અનુભવ તમને જણાવવા જઈ રહ્યો છું જ્યારે ધોરણ 10માં હતો ત્યારે મારે તેમાં ૬૮ ટકા આવ્યા હતા મારો ગણિત અંગ્રેજી ખૂબ જ નબળું હતું. સમાજ મને ખૂબ ગમતું હતું એટલે ઍમા સારા માર્ક્સ આવ્યા હતા. આ સિવાયના તમામ વિષયના સામાન્ય માર્ક્સ આવ્યા હતા મારી ટકાવારી કોઈ ખાસ તો ન કહી શકાય પરંતુ જ્યારે મેં ધોરણ ૧૦ પાસ કર્યું ત્યારે મારો એક લક્ષ્ય નક્કી હતો કે મારે કોમર્સ લેવું છે. અને વકીલ બનવું છે આથી મેં ધોરણ ૧૦ પછી કોમર્સ લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હું ૧૧ અને ૧૨ના ભણતર વિશે વાત કરું તું કહી શકું છું કે મને જરા પણ ભણવાની અંદર રસ ન હતો હું શિક્ષક ભણાવતા હોય અને ઘણી વખત સુઇ જાતો હતો.છતા 12 મા 81 % આવયા એની પાછળનુ કારણ મને અર્થશાસ્ત્રમાં રસ હતો.અને ba મા રસ હતો. ત્યારબાદ હું હાલમાં બીકોમ કરી રહ્યો છું પરંતુ હું એવા વિદ્યાર્થીઓને સંપર્કમાં આવ્યો જેનાથી મને જાણ થઈ એ સરકારી પરીક્ષા માટેના જેટલા પણ કાંઈ વિષયો આવે છે તે વિષય વાંચવાનું મને ખૂબ જ રસ છે આથી હું હાલમાં યુપીએસસીની તૈયારી કરી રહ્યું છે અને જેના તમામ વિષયોમાં ખૂબ જ ગમી રહ્યા છે મને અત્યારે ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે કેમ કે મે શા મતે arts ન રાખ્યુ ? કારણ કે જ્યારે 10નું પાસ કર્યું જ્યારે આર્ટસ નો મતલબ મારા મગજની અંદર એવો હતો કે arts એટલે કે કોઈ કળા ચિત્રકળા ડાન્સિંગ તેમાં એવું કંઈ ભણવાનું આવતું હશે. પરંતુ પાછળથી ખબર પડી કે તેમાં ઇતિહાસ ગુજરાતી,અર્થશાસ્ત્ર, ભૂગોળ,રાજનીતિશાસ્ત્ર જેવા ખૂબ જ રસપ્રદ વિષયો ભણાવવામાં આવી રહ્યા છે અને એ વિષયો મને ભણવા ખુબ જ ગમતા હતા .અને એ સરકારી પરીક્ષા ની અંદર ખૂબ જ મદદરૂપ થતા હતા. આથી જેવો મને તેમાં રસ પડ્યો કે તરત જ મને ભણવામાં પણ રસ પડ્યો અને હાલમાં લગભગ માત્ર ચોવીસ કલાકમાંથી મોટાભાગનો સમય આ વિષયો વાંચવામાં જ કાઢું છું અને યુપીએસસીની તૈયારી કરી રહ્યો છું.

તમને પ્રશ્ન થતો હશે કે હવે અમારે ટકાવારી તો આવી નથી તો કયા ક્ષેત્ર ની અંદર આગળ વધવું જોઈએ? 

ધણી બધી શાળાઓ વિધાર્થીના આત્મ મુલ્યાકન માટે પરીક્ષા લેવાની છે તેના પરથી પણ તમે તમારુ મુક્યાકન કરી શકો છો .

સૌપ્રથમ તમારા અનેક વહેમ આજે હું તોડવા જઈ રહ્યો છું.તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે વધુ ટકાવારી આવે તે વિદ્યાર્થી સાયન્સ કરતા હોય છે.નીચી ટકાવારી આવે તે વિદ્યાર્થીઓ commerce કરતા હોય છે.આ બે સિવાયની અન્ય કોઈ ક્ષેત્ર વિશે વિદ્યાર્થીઓને પૂરતી માહિતી નથી હોતી જેમકે art તમે કરી શકો છો આ ઉપરાંત તમે ડીપ્લોમાં પણ કરી શકો છો.

જે તમામ ક્ષેત્રની અંદર કયા કયા વિષયો આવે છે અને 12 પૂર્ણ કર્યા બાદ તમે કયા કયા ક્ષેત્ર ની અંદર જાય શકો છો ઍ વિશે પણ માહિતી નીચે આપેલ છે.

1) commerce

aઅર્થશાસ્ત્ર
bઆંકડાશાસ્ત્ર
Cનામાના મૂળતત્વો
d કોમ્પ્યુટર or પત્ર વ્યવહાર
e ગુજરાતી
f અંગ્રેજી
g.Ba(business)
જેને ગુજરાતીની અંદર પી.ડી.એફ.બુક નીચેની લીંક માં આપેલ છે.

https://www.wingofeducation.com/2020/06/std-11-commerce-all-subjects-gujarat-board-gujarati-medium-textbook.html?m=1



12 પછી શુ?





2)સાયન્સ




12 પછી શુ?

    
   



3)arts

નીચે આપેલ લીંક ની અંદર તમને arts સબ્જેક્ટ ના વિષય અને તેની પીડીએફ પણ આપેલ છે.

  


3)diploma

ડિપ્લોમા ના તમામ courses નીચે જણાવેલ લીંક માં આપેલ છે. ડિપ્લોમા એકવાર ડીગ્રી નથી જેના માટે તમારે અલગથી ડિગ્રી કરવી પડશે જો તમારે સરકારી પરીક્ષા જેમકે upsc-gpsc આપવી હોય તો.

https://leverageedu.com/blog/list-of-courses-after-10th-standard/

જો તમે 11- 12 સાયન્સ કર્યું હોય તો તમે કોમર્સની કે આર્ટ્સની કે ડીપલો ની કોઈપણ ડિગ્રી કરી શકો છો.

કોઈપણ વ્યક્તિને આગળ જઈને બે પ્રકારની ઈચ્છાઓ પણ થતી હોય છે જેમાંથી,
1 પ્રથમ છે કે આવક કમાવી અને
2.દ્વિતીય છે કે માન અને સન્માન કરવું.

જેમાં મોટાભાગના લોકો પૈસા કમાવવા માટે ભણતા હોય છે અને એ અનુસાર પોતાનું ક્ષેત્ર નક્કી કરતા હોય છે ઘણા લોકોને એવું થતું હશે કે ના આવી જવાથી માન અને પ્રતિષ્ઠા આપોઆપ આવી જશે ખરેખર એવું બની પણ શકે છે પરંતુ એક વસ્તુ યાદ રાખજો નાણા ને ગમે તે રીતે તમે કમાઇ શકો છો જેમાં તમે સાચું કામ કરીને પણ સત્યને સાથે રહીને પણ કમાઇ શકો છો અને ખોટું કામ કરીને ભ્રષ્ટાચાર કરીને પણ તમે નાણાં કમાવી શકો છો.

પરંતુ માન-સન્માન એ તમને લોકો આપશે અને એ તમારા સાચા કામોને જોઈને મળશે અને જો તમે આવક કમાવવાના હોય અને એમાં પણ તમે સાચું કાર્ય કર્યું હોય તો તમારી પાસે પૈસો પણ હશે અને માન-સન્માન પણ હશે


ઉપર તમને તમામ ક્ષેત્રની બધી જ વિગતો જણાવવામાં આવી છે.જેના પરથી તમે તમને મનગમતા વિષય પસંદ કરજો અને તેની આગળ ટીક માર્ક કરી દેજો અથવા તો નોંધ રાખજો .
તમારે શું બનવું છે એટલે કે વકીલ બનવું છે ડોક્ટર બનવું છે એન્જીનિયર બનવું છે જે પણ બનવું હોય એ લક્ષ્ય પહેલાં નક્કી કરજો પછી એ લક્ષ્ય સુધી પહોંચવા માટેના પ્રયાસ કરજો .
ધારો કે ,તમારે ડોક્ટર બનવું હોય તો સાયન્સ લેવું પડે અને સાયન્સ ની અંદર જે કાંઈ વિષય આવે છે તે તમને પસંદ છે કે નહીં તેમાં તમે આગળ વધી શકો છો. હવે તમારા મનની અંદર એક પ્રશ્ન ઉઠી રહ્યો હશે કે અમે 11-12 ભણ્યા જ નથી તો અમને ખબર કઈ રીતે પડશે કે મને શેમાં રસ છે કે નહીં તો તેનો ખુબજ સરળ ઉપાય છે, કે તમે ધોરણ ૮, ૯ અને ૧૦ ની અંદર વિજ્ઞાન-ગણિત સમાજ ,ગુજરાતી,અંગ્રેજી આમ ઘણા વિષયો તમે અભ્યાસ કરી ચૂક્યા છો.આ તમામ વિષયોમાંથી તમને સૌથી વધુ રસ શેમાં છે. તેના આધારે પણ તમે ધોરણ 11 અને 12 નું અંદાજો લગાવી શકો છો જો તમને વિજ્ઞાન અને ગણિત ની અંદર સારા માર્કસ ન(ધોરણ 8 9 10 મુજબ) આવતા હોય તો તમારે સાયન્સ લેવું ન જોઈઍ.

અન્ય કોઈપણ વ્યક્તિ પણ આપણું ક્ષેત્ર નક્કી કરતો હોય છે જેમકે તમારા માતા પિતા કહેતા હોય તેમ તમે સાયન્સ કોમર્સ લઈ રહ્યા હોય છો. આ ઉપરાંત તમારો મિત્ર કે અન્ય કોઈ સંબંધી સાયન્સ કોમર્સ લેતો હોય તેને જોઈને પણ તમે સાયન્સ અથવા કોમર્સ લેતા હશો પરંતુ ખરેખર તમારે તમારી જ આવડત છે એને જાણવી જોઈએ અને એ અનુસાર તમારે ફિલ્ડ પસંદ કરવી જોઇએ.

એક બાબત એ છે કે તમે પ્રથમ જ પોતાનું લક્ષ્ય નક્કી કરી લો કે મારે શું બનવું છે અને એના આધારે તમે ક્ષેત્ર પસંદ કરો પરંતુ બીજી બાબત એ છે, કે તમે લક્ષ્ય તો નક્કી કરી લીધો છે પરંતુ લક્ષ્ય સુધી પહોંચવામાં જે કાંઈ વિષય આવે છે તને અનુરૂપ તમને એવું લાગતું નથી કે હું આ વિષયો ભણવા માટે સક્ષમ છું કારણકે તમે બીજાને જોઇને પોતાનું ક્ષેત્ર લક્ષ્ય નક્કી કર્યું છે. એટલા માટે તો આવા સમયે પહેલા તમારે જે વિષયો ગમતા હોય એ વિષયો પસંદ કરીને ત્યાં નક્કી કરવું જોઈએ અને ત્યારબાદ તમારે લક્ષ્ય નક્કી કરવું જોઈએ.

ઘણા વિદ્યાર્થીઓ ના એવા પણ સપના હોય છે કે તે પોતે વિદેશ જઈને સારું ભણતર મેળવે અને ત્યાંથી જ પોતાના આવકનું સાધન ઉત્પન્ન કરે તો એ માટે તે જરૂરી જે અંગ્રેજીના કોર્ષ છે તે ૧૨ ધોરણ પછી કરી શકે છે ત્યાં સુધી તેઓ અંગ્રેજી માં પકડ બનાવવા માટે અંગ્રેજી મુવી જોવા પુસ્તકો વાંચવા જે ગીતો સાંભળી શકે છે.


સામાન્ય રીતે તમામ વિદ્યાર્થીઓ નો સૌથી મોટી સમસ્યા એ જોવા મળે છે કે તેને શોખ શેમાં છે ને એ જાણી શકતા નથી.
આ સમસ્યાના સમાધાન આ સમસ્યા ઉભી થવાનું કારણ તે છે કે ભારતીય જે શિક્ષણ પદ્ધતિ છે એ પ્રેકટિકલ નથી પરંતુ થિયરીકલ શિક્ષણ પદ્ધતિ છે. આથી જો તમારે તમારો શોખ જાણવું હોય તો તમારે જે ક્ષેત્રની અંદર અભ્યાસ કરવો છે તેના વિષયો ની અંદર રસ હોવો જોઈએ અને તમારો લક્ષ્ય એ સ્પષ્ટ હોવો જરૂરી છે

આ ઉપરાંત મિત્રો હું તમને એ પણ કહેવા માગું છું કે તમારો જેમાં રસ હોય એવી સ્કૂલ પસંદ કરજો અને જ્યાંથી તમને ખુશી મળતી હોય એવી સ્કૂલ પસંદ કરતો કારણ કે હું જ્યારે શાળાએ જતો ત્યારે હું ક્યારે ઘરે પાછો આવ્યો તેની મને વધારે ઉતાવળ હતી. તેનું સૌથી મોટું કારણ કે મને ભણવા ની અંદર રદ થઈ શકતો ન હતો આથી ભણતર એ આપણે સુખ ખાતર જ્ઞાન મેળવવા માટે છે જેનાથી આપણને આનંદ થાય એટલા માટે લેતા હોય છે.પણ મને ભણતરથી દુઃખ ખૂબ વધારે થતું હતું. એટલા માટે એનું મુખ્ય કારણ એએ કે શાળાની અંદર મને યોગ્ય વાતાવરણ મળી રહ્યું ન હતું. અને તે અગાઉ એક થી દસ ધોરણ સુધી ભણ્યો એમાં મને યોગ્ય વાતાવરણ મળી રહ્યું અને ત્યાં હું ખૂબ જ ખુશ હતો પરંતુ મારું ટકાવારી નું પ્રમાણ નીચું હતું. માત્ર ટકાવારી મહત્વની નથી તેમાંથી તમે કેટલું જ્ઞાન મેળવવું કેટલું શિખા એ પણ ખૂબ જ મહત્વનું છે. જો તમને રમત ગમત ની અંદર રસ હોય તો એવી કોઈ પણ શાળા પસંદગી નહીં કરતા કે જેની અંદર રમત ગમતનું એક પણ ग्राउंड ન હોય તમને અન્ય કોઈ સંગીત કે અન્ય કોઈ ડાન્સ માં રસ હોય તો એવી કોઈ શાળા પસંદ નથી કરતા કે જ્યાં આ તમામ સુવિધા ન હોય આ તમારા ખુશ રહેવાની એક ભાગ છે જેને તમારા છોડવો જોઈએ નહીં ભલે પછી ગમે તે પરિસ્થિતિ આવી જ પહોંચે.

આ તમામ બાબતો મેં તમને જણાવી છતા પણ જો કોઈપણ વિદ્યાર્થીઓને યોગ્ય વધુ માર્ગદર્શનની જરૂર હોય તો હું મારો ફોન નંબર લખી રહ્યો છું જેમાં સંપર્ક કરવા વિનંતી જેનાથી શું થશે કે હું કોઈ યોગ્ય ઊંચા શિક્ષક સાથે વાત કરાવી શકે આ ઉપરાંત જો તમારે વકીલ ડોક્ટર એન્જિનિયર કે અન્ય કોઈ પણ ક્ષેત્રની અંદર જવું છે અને તે ક્ષેત્ર વિશે તમારા વિશેષ માહિતી મેળવવી છે તો હું ડૉક્ટર વકીલ કે એન્જિનિયર સાથે પણ તમારી વાત કરાવી આ ઉપરાંત ગમે તે પણ ક્ષેત્રમાં જવાની ઇચ્છા હોય એ તમામ ક્ષેત્ર હું તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે જો આ લેખમાંથી તમને કોઈપણ વસ્તુ સમજમાં ન આવ્યું અને વધુ માહિતી મેળવવી હોય અને તમે શું કરવું એ નક્કી કરી શકતા ન તો તમે મન મારો સંપર્ક કરી શકો છો

આ ઉપરાંત google અને youtube પરથી તમને જેમાં રસ છે તમામ પ્રકારના કોર્સ એ તમામ પ્રકારની માહિતી અને તમામ પ્રકારના શિક્ષણ જે તમે ક્લાસરૂમની અંદર મેળવી રહ્યા છે તમામ પ્રકારનું શિક્ષણ youtube પર ઓનલાઇન ઉપલબ્ધ છે જો તમે તમારા વર્ગશિક્ષક તમારા વિશે શિક્ષક પાસેથી યોગ્ય રીતે શિક્ષણ મેળવી ન રહ્યા હોત તો તમે ઘરે આવીને youtube પરથી પણ યોગ્ય રીતે સમજી શકો છો.પરંતુ તેમને તેનો યોગ્ય ઉપયોગ કરતા આવડવો જોઈએ આ ઉપરાંત આ સમયની અંદર ભણતરની સાથે અન્ય skill હોવી ખૂબ જ જરૂરી છે. જેથી અન્ય તમારી જે કાંઈ પણ ભૂલ હોય અને તમે તેને આગળ વધારવા માંગતા હોવ તો તેના પણ તમને યુ-ટ્યુબ કે ગુગલ પરથી મેળવી શકો છો.ખાસ કરીને તમારે વધુમાં વધુ ભાષા શીખવાનો ખાસ કરીને તો ઇંગલિશ ભાષા શીખવાનો વધુ પ્રયત્ન કરવો જોઈએ.

મિત્રો જો આ ઉપર જે મેં વાતો કહી તે તમને જો ખોટી લાગી હોય તો મારા અનેક મિત્રો છે કે જે એને પોતાનું ભણતરનો આ સમયમાંથી પસાર થઈ ચુક્યા છે. આથી તેના વિચારો આપણે આગળના આર્ટિકલમાં જાણીશું જેના માટે તમારે થોડી રાહ જોવી પડશે કારણ કે તે લોકોને પોતાના અનુભવો હતા એ લખવાનુ કહ્યું છે જેની અંદર ba,કોમર્સ, સાયન્સ અને diplo આમ તમામ ફેકટરીઓ ના વિદ્યાર્થીઓના તમને અનુભવો જાણવા મળશે.

મિત્રો મને આશા છે કે તમે આ સમગ્ર લેખને સમજી શક્યા હશો અને જો ન સમજી શકી હોય તો તમારી પાસે મને ફોન કરીને વાત કરવાનો એક વિકલ્પ છે.

કેવિનકુમાર ચાંગાણી
9724265164






ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન પર જઈને રેલવે સ્ટેશનના એક ખૂણેથી

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક......................   પ્રવેશ ના   દિવશે જ હયાન ને કોઈક ની શોધ હ

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(gs candidate) સાથે વાતચીત કરી વાતચીત પરથી ખાસ કંઈ જાણવા મળ્યું નહિ ને ખાસ કઇ

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                             પ્રેમએ એવી ફીલિંગ છે. જેનું કોઈ નિશ્રીત સ્થાન નથી. તે માત્ર માણસના હદયમાં જ નહીં પરંતુ પ્રાણિઓ,પક્ષીઓ અને આ કુદરત પણ પ્રેમમાં પડે છે. તમને શું લાગે છે કે તમને કોઈ ગમે એટલે પ્રેમ એમ? નહીં બધાને બધી સારી વસ્તુ ગમે જ છે. પ્રેમ એટલે પ્રે

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ થાય અને પછી ગાર્ડન નો મળે એટલે જ્યા કોઇ જોય નો જાય એવિ જગ્યાની જરૂર પડે. ઍમા એવું છે કે અત્યારના પ્રેમિઓને ચીપકવુ બોવ ગમે છે.                             

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય. સોજવાડી ઍ તો જેને પડ્યા હોય તેને જ ખબર હોય .લોકડાઉન હોવાથી  ધર ની બહાર કોઇ નિકળવા દેતુ નથી. boyfriend કે girlfriend સાથે વાત કરવી હોય તો whatapp chat  મા કે instagram મા કરવી પડે છે. પપ્પા બાજુ મા જ બેઠા હોય video call થય શકતો નથી. લોકડાઉનમા 8-9 દિવસથી પ્રેમીઓઍ ઍક બીજા ના ચહેરા નથી જોયા. ઍક બીજાનો સરખી રિતે અવાજ નથી સાંભળયો.                     અમુક તો પોતાના પ્રેમી ને kiss કરવાનુ પણ મન થતુ હશે. પેલ

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતાં આવડે છે. ? તેને મને જવાબ આપ્યો નહીં તો તમે આ રોજ ભાગવતગીતામાં શું વાંચો છો? મને તેને કીધું કે ગીતા વાચવાથી પુણ્ય મળે છે॰ અને આપ

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક્યારેક તો ગણિતના સરવાળા, બાદબાકી મને આંગળીના વેઢે

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે સમય રહયો માત્ર રહી ગઈ છે તો ફક્ત યાદો જ.एक बार पुरानी यादो  को ताजा करके तो देखो. કેવી મજા આવે છે. નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા કે દાદા-દાદી ના ખોળામાં સૂઈ જતાં પણ હવે તો બધાને ખબર જ છે કે મોટા થઈ ને લોકો કોના ખોળ