મુખ્ય સામગ્રી પર જાઓ

દંગા.......દંગા........દંગા

                                       દંગા

                  

                    દેશ આઝાદ થયો તેના ત્રણ મહિના પછી 75 વર્ષ પૂર્ણ થશે. આ ૭૫ વર્ષનાં જો કંઈ દુઃખદ બાબત બની હોય તો એ મારા મત મુજબ ધર્મના નામે જે દંગાઓ થયા છે,તે ખૂબ પીડાદાયક છે. દેશ આઝાદ થયો ત્યારે તેને અખંડ બનાવો એ એક ખુબજ મુશ્કેલ બાબત હતી.પરંતુ સરદાર વલ્લભભાઈ અને તેની ટીમ સાથે મળીને દેશને અખંડ બનાવ્યો છતાં ઘણા બધા એવા પ્રશ્નો છે. જેને આઝાદી બાદ દેશ સોલ્યુશન મેળવી શક્યો નહીં. તેમજ ઘણા બધા એવા પણ મુદ્દાઓ છે કે જે નું સોલ્યુશન છેલ્લા 8 વર્ષની અંદર આવ્યું છે.

                     ૧૯૪૭થી આજ સુધી અનેક ધર્મ ,જાતિ ના નામ ઉપર દંગાઓ ભારતમાં થતા આપણે જોયા છે .વાંચ્યા છે અને ક્યાંક આપણા પરિવારના લોકો પણ આ દંગા ઓનો ભોગ બન્યા છે. કેટલાક લોકો આંદોલન કરવા ગયા હોય પોલીસના લાઠીચાર્જના કારણે પણ મૃત્યુ પામ્યા છે. કેટલાક લોકો માત્ર જોવા ગયા હોય અને મૃત્યુ પામ્યા છે. કેટલાક લોકોને કોઈપણ કારણો વગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને તેને વર્ષો સુધી જેલમાં રાખવામાં આવ્યા છે.


            





દંગાઓ શા માટે થાય છે?

સામાન્ય રીતે હુલ્લડો ના ઘણા બધા પ્રકારો હોય છે જેમાં ધર્મ, જાતિ કે કોઈપણ આંદોલનના કારણે પણ હુલ્લડો થતી જોવા મળે છે. અને તમામ બાબતોની અંદર હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામતા જોવા મળે છે.

1)કોઈપણ હુલ્લડ એક વ્યક્તિ દ્વારા થઇ શકે નહીં સૌપ્રથમ એક વ્યક્તિમાંથી અનેક વ્યક્તિ ભેગા મળે છે અને સંગઠન બનાવે છે. આ સંગઠન ના તમામ વ્યક્તિઓના વિચારો એક સમાન હોય છે અને પરસ્પર સહકારની ભાવના પણ હોય છે. જ્યારે કોઈપણ સંગઠનના વિચાર એક સમાન હોય અને સંગઠનો ની સભ્ય સંખ્યા ખૂબ વિશાળ પ્રમાણમાં હોય ત્યારે આવા દંગા સમયે મોટી જાનહાની થવાની સંભાવના રહે.

2) એક વ્યક્તિ કે સંગઠ્ઠનના વિચારોથી જ્યારે કોઇ અન્ય વ્યક્તિ આકર્ષાય છે ત્યારે તે તે સંગઠન સાથે જોડાય છે અને કોઈપણ હુલ્લડોમાં ભાગ લેવા માટે તેને પ્રોત્સાહન મળે છે. તેની અંદર એ ભાવના જગ્યા છે કે હું એકલો નથી મારી સાથે હજારો વ્યક્તિ છે મને કાંઈ નહીં થાય.

3) કોઈપણ વ્યક્તિના બાળપણમાં તેની નજર ની સામે તેના કોઈ પરિવારજનોને આવા હુલ્લડોની અંદર મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોય ત્યારે તે વ્યક્તિની અંદર તેના પરિવારજનોને મૃત્યુને ઘાટ ઉતારનાર પ્રત્યે બદલો લેવાની ભાવના જન્મે છે અને તે પોતાના સમગ્ર જીવન કોઈ એક ધર્મ જાતિ કે અન્યની વિરુદ્ધમાં નફરત ફેલાવવાનું કામ કરે છે.

4) જ્યારે હુલ્લડો થાય છે ત્યારે આપણે એમ જ સમજે છે કે સામેવાળા પક્ષ ને મુત્યુ ને ધાત ઉતારવઓ તેને નુકસાન પહોંચાડવું એ કોઈ ગુનો નથી પછી એના માટે ભલે આપણે જેલમાં જવું પડે.

5) સામાન્ય રીતે તમે સમજો કોઈપણ વ્યક્તિ જન્મથી ખરાબ હોતો નથી પરંતુ તેની સંગત જે પ્રમાણે હોય છે તે જે લોકો સાથે નાનપણથી રહેતો આવે છે અને યુવાવસ્થામાં તેની વિચારધારા ઘડાય છે તે અનુસાર તે કોઈપણ પક્ષ એક વિચારધારા સાથે જોડાયેલો રહેતો હોય છે અને યુવાવસ્થા કાળના બાદના સંપૂર્ણ જીવન તે પક્ષ કે વિચારધારા પ્રત્યે મરવા અને મારવા માટે પણ તૈયાર થઈ જાય એવી તેની વિચારધારા હોય છે.

6) જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પક્ષ પ્રત્યે આપણને પૂર્વગ્રહ ની લાગણી ઉત્પન્ન થાય છે એટલે કે આ પક્ષ આવો જ છે તે ક્યારેય સારું કામ ન કરી શકે આવા સમયે કોઈપણ પક્ષ પ્રત્યે શત્રુતાની લાગણી ઉત્પન્ન થાય છે જેમ કે હિન્દુઓ આવા જ હોય છે મુસલમાનો ખરાબ જ હોય છે આવા પૂર્વગ્રહો જન્મના કારણે નફરત ની લાગણી પેદા થાય છે.


દંગા કરવાથી થતા ફાયદા 

હવે તમને એમ થતું હશે કે હુલ્લડો કરવાથી તો શું ફાયદા થઈ શકે એમ કરવાથી અઢળક ફાયદા થાય છે. જો કંઈ ફાયદો થતો જ હોય તો મહિનામાં એકવાર દંગા શા માટે થાય છે?

1) પોતાના વિચારધારા ને બચાવવા માટે પોતાના પક્ષના સ્વાભિમાન માટે અને પોતાના રક્ષણ માટે દંગા થતા હોય છે.

2) ક્યારેક રાજનીતિ કારણોસર પણ હુલ્લડો કરાવી એ રાજનેતાઓ નું કામ હોય છે અને તેના કારણે તેની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય છે ક્યારેક પોલીસ દ્વારા આવી હુલ્લડોને પ્રોત્સાહન આપવામાં આવે છે જેના કારણે તેને પ્રમોશન પણ મળી શકે છે.

3) લોકોને બીક હોય છે કે જો આપણે દંગા નહીં કરીએ તો સામેનો પક્ષ આપણને મૃત્યુને ઘાટ ઉતારી નાખશે આપણે રક્ષણ મેળવવું હોય તો સામેવાળાને આપણે મારવા પડશે.

આવા તો અઢળક ફાયદાઓ છે જેટલા ગણાવીએ તેટલા ઓછા છે પરંતુ આ તમામ ફાયદાઓ માં ક્યાંય પણ નીતિ દેખાતી નથી. ફાયદાઓ માં માત્ર ને માત્ર અજ્ઞાનતાની ગંધ આવે છે.આ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે રચવામાં આવેલું ષડયંત્ર પણ કહી શકાય છે

દંગા થી થતા નુકસાન

મેં એનસીઆરટી બુક માંથી દંગાથિ થતા નુકસાન શું છે એના વિશે થોડી ઘણી જાણકારી મેળવી છે તે હું અહીં તમને જણાવી રહ્યો છું.

1) સૌપ્રથમ તો હજારો લોકોના મૃત્યુ થાય છે.એ મૃત્યુ થવાથી તેના પરિવારને ગુજરાન ચલાવનાર ઘર નો ધણી એક ગુમાવવો પડે છે બાળકોને ક્યારેક અનાથાશ્રમમાં પણ મૂકવા પડે છે પત્નીને ક્યારેક વિધવા જીવન જીવવું પડે છે અને સમાજના ટોણા પણ સાંભળવા પડે છે જો ઘરનો ધણી મૃત્યુ પામે તો એના બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકતું નથી નાના બાળકની અંદર બદલો લેવાની ભાવના જન્મ લે છે અને આવનારા સમયની અંદર ફરીથી દંગા થવાની સંભાવના આ બાળક પેદા કરે છે કારણ કે એક વિચારધારા માંથી લાખો લોકોએ વિચારધારા સાથે સંકળાયેલા મેં મારી અઢાર વર્ષની ઉંમરની અંદર જોયા છે.

2) અનેક લોકો ધવાય છે. અનેક લોકોની આંખ ફૂટી જાય છે દેખાતું બંધ થઈ જાય છે અનેક લોકોના કાન કાપી લેવામાં આવે છે અનેક લોકોના હાથ-પગ આવા અનેક અંગો ખોવાનો વારો આવે છે જેના કારણે તેને આજીવન પીડા ભોગવવી પડે છે અને તે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ સક્ષમ બનતાં નથી અને તેના એક ના લીધે સમગ્ર પરિવારને પણ દુઃખ ભોગવવું પડે છે.

3) જે લોકોને મૃત્યુ પણ નથી થયું શરીરમાં ઇર્જા પણ નથી થઈ અને જે લોકો દંગની અંદર ભાગ પણ લીધો નથી માત્ર ત્યાંથી પસાર થતા હતા બચવાની કોશિશ કરતા હતા અથવા તો સીસીટીવી કેમેરાની નજરમાં આવી ચૂક્યા હતા . એવા લોકોને પોલીસ ધરપકડ કરીને લઈ જાય છે તેના ઉપર ખોટા કેસો બનાવે છે અને આજીવન તેને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે અને તેની જીવનની સમગ્ર કમાણી પોલીસ સ્ટેશનના ધક્કા અને કોર્ટ-કચેરીની અંદર ચાલી જાય છે એ પણ એક મોટું નુકસાન જ છે.

4) હુલ્લડો સાત દિવસ ક્યારેક તો મહિનાઓ સુધી 144ની કલમ લગાવી દેવામાં આવે છે અનેક વિસ્તારો બંધ કરી દેવામાં આવે છે લોકોના કામ ધંધા બંધ કરી દેવામાં આવે છે તમે વિચાર કરો દિલ્હીમાં દંગા થયા હોય અને સમગ્ર દિલ્હી બંધ રાખવામાં આવ્યું હોય તો સમગ્ર દિલ્હી ની અંદર જેટલા પણ વેપાર હોય તે બંધ થાય છે. તેનું કરોડોની અંદર નુકસાન દેશને જ ભોગવવું પડે છે આ દેશની પ્રગતિમાં અવરોધ આવે છે જો તમે સાચા દેશભક્ત હો દેશની પ્રગતિને અવરોધવા ન માંગતા હો તો આવા દંગા થી બચીને રહો.

જ્યારે જ્યારે પણ થતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેક ન્યુઝ ફેલાવવામાં આવતી હોય છે લોકો આ ફેક ન્યુઝ ને ઓળખી શકતા નથી અને આગળ ને આગળ શેર કરતા હોય છે અમુક વખત એવી પણ ન્યુઝ સાંભળવા મળી છે કે મેં આટલા લોકોને માર્યાા ઓલા એ આટલા લોકોને માર્યા તો આવી અનેક ફેક ન્યુઝ થી દૂર રહેવું અને તેને શેર કરવાનો નહીં જેના કારણેે લોકો વધુ ઉશ્કેરાઈ જશે અને દંગ આવો વધવાની સંભાવના વધી જશે


આ દંગાઓ કઈ રીતે અટકાવી શકાય તેના ઉપાય તો હું જણાવવા માટે આ ઉંમરે સક્ષમ નથી પરંતુ હું માત્ર એટલું જ કહીશ કે માણસ ક્યારેક ખરાબ હોતો નથી માણસની અંદર રહેલી બાબત ખરાબ હોય છે માણસ જ્યારે જન્મે ત્યારે તેને સાચા ખોટાનો ફરક ની કોઈ પણ ખબર હોતી નથી બાળપણમાં તે જે જુએ છે તેનું ઘડતર જે રીતે થાય છે અને યુવાન બને છે ત્યાં સુધીમાં તેની વિચારધારા ઘડાય છે એ મુજબ તે પોતાનું સમગ્ર જીવન જીવે છે એટલે મારે માત્ર ને માત્ર આ યુવાધનને એટલું જ કહેવું છે કે તમે તમારી આવનારી પેઢીનું ઘડતર સારી રીતે કરજો

આપણા દેશને પોતાની શિક્ષણ પદ્ધતિ ની અંદર નીતિનું જ્ઞાન આપવાની જરૂર છે બાળપણથી જ પ્રામાણિકતા સત્ય અને પ્રેમ ભાવના ના ગુણો શીખવવાની જરૂર છે અને છતાં પણ જે લોકોને દંગા કરવામાં મજા આવે છે લોકોના લોહી ને જોઈને તેની આત્મા ને શાંતી મળતી જોય છે. તેવા લોકોને કાયદો જવાબ આપશે આ દેશની પોલીસ જવાબ આપશે એવી આગળના સમયમાં મને આશા છે.

મને માત્ર ને માત્ર દુઃખ એ વાતનું છે કે જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ ધર્મના નામે દગા ઓ ધટ્વા ને બદલે વધતા જાય છે. આના એક દેશના વિકાસ માટે સૌથી મોટામાં મોટી અવરોધરૂપ કડી ગણી શકાય.

તમને એમ પણ થશે કે આ તો મહાત્મા ગાંધીની અહિંસાની વાત કરી રહ્યો છે હું ક્યારેય અહિંસાની વાત કરતો નથી હું તો એમ કહું છું કે સામાન્ય માણસને કાયદો હાથમાં લેવો જોઈએ નહીં સજા આપવાનું કામ એ આપણા દેશની પોલીસને સોંપવામાં આવ્યું છે આ દેશની પોલીસ જો આરોપી સાચું નહિ બોલે તો તને મારશે પણ અને તેને સજા પણ કરશે તો આપણે મારવા અને મરવા નું કામ કાયદા ઉપર છોડી દઈએ.


અમુક લોકો મને એમ પણ કહે છે કે તમે કોઈ એક પક્ષ બાજુના વિચારો લખો છો તો હું એ વ્યક્તિઓને કહેવા માગું છું આ તમારી પાસે સોના જેવો સમય છે જો હું કોઈ એક પક્ષ તરફથી વિચાર લખતો તો મારા વિચારોને પરિવર્તન કરવાની જવાબદારી તમારી છે કોમેન્ટ કરો અને મારા વિચારોને પડકાર આપો કે હું ખોટો છું. મારા મતે હું તમામ આ બાબતને મારા લેખો ની અંદર આવરી લેવા માગું છું અને કોઈપણ પક્ષ તરફથી લખવા માગતો નથી અને તટસ્થ કહેવા માગું છું છતાં પણ જો વાચકને એમ લાગતું હોય કે હું કોઈ પક્ષ તરફ જોકે લો છો તો કોમેન્ટ કરીને મને ટકોર કરો.

Kevinkumar changani 






ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન ...

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક........................

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(g...

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                          ...

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ ...

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતા...

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય...

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક...

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે...