મુખ્ય સામગ્રી પર જાઓ

ચૂંટણી અંગે તમામ સવાલોના જવાબ.

 




                  ચૂંટણી અંગે તમામ સવાલોના જવાબ.




આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક લોકશાહી દેશ છે અને ભારત નું શાસન લોકો દ્વારા ચલાવવામાં આવે છે સમગ્ર ભારતની અંદર લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે અને વયસ્ક વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર છે સામાન્ય રીતે મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજ્ય વિધાનસભાની ચૂંટણી તેમજ લોકસભાની ચૂંટણીમાં 18 વર્ષ કે તેથી ઉપરના વ્યક્તિઓને મતદાન કરવાનો અધિકાર છે.


જેમાંથી આજે આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન સંદર્ભે વાત કરીશું.

લોકોમાં સામાન્ય રીતે શેરીઓ મહોલ્લા માં અને જે લોકો અશિક્ષિત છે જેને મતદાનનું મહત્વ નથી ખબર તેઓ સામાન્ય રીતે મતદાન પ્રત્યે ખૂબ જ ખરાબ વાતો કરતા હોય છે.
1) જેમકે અમુક લોકો કહે છે કે આજે અમે કામે જઈએ છીએ અને કાલે પણ અમે કામ કરવા જવાના છીએ તો મતદાન આપીએ કે ન આપ્યા તેનાથી શું ફરક પડે ?
2) એક પણ પાર્ટી સારી નથી હોતી બધી જ પાર્ટી એકબીજા સાથે મળી ગય હોય છે અને કોઈ આપણું સારું ઇચ્છતું નથી એટલે મતદાન કરવું જોઈએ નહિ.
3) આપણે ગમે એને મદદ કરીએ પણ જીતશે તો xyz પાર્ટી જ.
લોકો આવી વાતો અવારનવાર કરતા હોઈએ છીએ તો હું આ તમામ શેરી મહોલ્લા માં જે વાતો થતી હોય તેના જવાબ નીચે મુજબ આપવા માંગુ છુ

સંવિધાન મુજબ મતદાન કરવો એ તમારો અધિકાર છે.

મતદાન શા માટે કરવું જોઈએ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલ કોર્પોરેટર આપણા વોર્ડના રસ્તા, વીજળી, પાણી;શિક્ષણ,આરોગ્ય તેમજ તેની સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ પર કાર્ય કરશે અને બીજી અન્ય સુવિધાઓ પણ આપશે.
તો હું તમને પૂછવા માગું છું.
શું તમારી સોસાયટીના નાકે કચરા વાલો નથી આવતો?
શુ તમે અવાર નવાર રોડ-રસ્તાઓ બનતા નથી જોતા?
શું તમે ગટરલાઈન નખાતા નથી જોતા?
શું તમે અવારનવાર રોડ રસ્તા સાફ થઈ જતા હોય તે નથી જોયું?
શું તમારા વિસ્તાર ની આજુબાજુ કે તમારા વોર્ડની અંદર એક પણ લાઇબ્રેરી નથી જોઈ?
તમે કહેશો હા અમારા વિસ્તારની અંદર તો આવા કાર્યો થયા છે પરંતુ આવા કાર્યો યોગ્ય રીતે થતા નથી ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે રોડ રસ્તા વારંવાર ખોદવામાં આવે છે જેનાથી લોકોને વારંવાર ધુળ ખાવી પડે છે અને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડે છે તમારા વિસ્તારની અંદર લાઇબ્રેરી તો છે પરંતુ તેમાં યોગ્ય સુવિધાઓ નથી તો આવા તમામ પ્રશ્નોના ઉકેલ માટે તમારે મત આપવો જોઈએ અને તમારા વિસ્તારના કોર્પોરેટર ને કહેવું જોઈએ કે આ તમામ વિસ્તારના જે કામો યોગ્ય થતા નથી તે કામો પૂર્ણ કરે.

જો તમે મતદાન કરવા નહીં જાવ તો શું થશે?
છેલ્લા ઘણા સમયથી લોકો evmનો વાંક કાઢી રહ્યા છે કે evmના કારણે અમુક પાર્ટીઓ જિતિ હોય છે હું આ વસ્તુ સાચી છે કે ખોટી એ કહેતો નથી પરંતુ હું તમને કહેવા માંગુ છુ,કે કદાચ જો તમે મત આપવા ન ગયા અને તમારા સ્થાને કોઈ બીજાએ મત આપી દીધો તો અયોગ્ય પાર્ટી સત્તામાં આવી તો તેની મુશ્કેલી પણ તમને જ પડશે અને તેનું ફળ પણ તમારે જ ભોગવવું પડશે તો તમને એક પણ પાર્ટી ગમતી ન હોય તો નોટાનો ઓપ્શન આવે છે નોટામાં તમે મતદાન કરી શકો છો એટલે મારી એટલી જ વિનંતી છે કે તમે મતદાન જરૂરથી કરો અને મતદાન સવારના સમયમાં કરો જેનાથી બપોર પછીના સમયમાં તમારા સ્થાને બીજું કોઈ મતદાન ન કરી જાય.

મને એક પણ પાર્ટીમાં વિશ્વાસ જ નથી તો અમે શું જોઇને મતદાન કરીએ?
જો તમને એક પણ પાર્ટી પર વિશ્વાસ ન હોય તો તમે નોટા મા મતદાન આપી શકો છો પરંતુ તમારે તમારા વિસ્તારની અંદર જે પણ પાર્ટીઓ ચૂંટણી લડી રહી હોય છે એ પાર્ટીના ઘોષણા પત્ર વાંચવા જોઈએ અને એ વાંચીને તેમાં કઇ કઇ સુવિધાઓ નો ઉલ્લેખ થયો છે તે વાંચવી જોઈએ તેમાંથી તમને કઈ પાર્ટી સારી સુવિધા આપી શકે તેમ છે તે જોઈને મતદાન કરવું જોઈએ આ ઉપરાંત તમારે કોઈપણ પાર્ટી ને ધ્યાનમાં લેવી ન જોઈએ માત્ર તમારા વિસ્તારના ઉમેદવાર ને ધ્યાનમાં રાખીને મતદાન આપવું જોઈએ જો તમારો ઉમેદવાર તમારા કામ કરી શકવા માટે સક્ષમ હોય તો તે ગમે તે પાર્ટીનું હોય તેને મત આપવો અને તે ઉમેદવારે પાછળના સમયમાં કેવાં કાર્યો કર્યા છે તેને પણ ધ્યાનમાં રાખો. અને જો ઉમેદવાર નવો હોય કે પાર્ટી નવી હોય તો તે પાર્ટીના ઉમેદવારો નો શિક્ષણ તે કયા સ્થાને રહે છે અને સમાજમાં તે પાર્ટી અને તે ઉમેદવારની પ્રતિષ્ઠા કેટલી છે તે બાબતને ધ્યાનમાં રાખો

લોકોના પ્રશ્નો એવા પણ છે કે ચૂંટણીના સમયે તો અનેક વચનો આપવામાં આવે છે છતાં કાર્યો થતા નથી
એ વાત સો ટકા સાચી છે કે ચૂંટણીના સમયે અનેક વચનો આપવામાં આવે છે પરંતુ કામ થતાં નથી તો એનો ઉપાય એ છે કે તમે જે પાર્ટીને ચૂંટીને સત્તા માં બેસાડી છે એને જો તમારા કામો કર્યા નથી તો તમે જાગૃત થાવ અને આવનારી વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય કે ફરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય તો તે પાર્ટી ને તમે મત નહીં આપતા કારણકે તમે ઉમેદવારને જોઇને મત આપ્યો હશે એ ઉમેદવારે તમારા કામ કર્યા નથી તો તે પાર્ટી પણ તમારા કામ નહીં જ કરે

મતદાન શું જોઇને કરવું જોઈએ?
જો ઉમેદવાર તમારા સગા માંથી કોઈ ઊભો હોય તો સગાવાદ કે મિત્ર વાદમાં આવ્યા વગર ઘોષણાપત્ર જોવું જોઈએ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના મુદ્દાઓ રોડ-રસ્તા, શિક્ષણ ,સ્વાસ્થ્ય, સ્વચ્છતા,વેરા,પાણી,ભ્રષ્ટાચાર, સાંસ્કૃતિક કાર્યક્રમો,પાર્કીંગની સુવિધાઓ આ તમામ મુદ્દાઓ હોવા જોઈએ આ તમામ મુદ્દાઓ ના નામે જો કોઈ વ્યક્તિ ચૂંટણી પ્રચાર કરતો હોય તો તેના પર વિશ્વાસ કરવો જરૂરી છે તેમજ આ તમામ મુદ્દાઓ વિશે પાછલા સમયમાં જો તેને કંઈ પણ કાર્ય કરયા હોય તો તેને તમે મત આપી શકો છો.
રાષ્ટ્રીય ચહેરો કે રાષ્ટ્રીય મુદ્દાઓને લઈને પ્રચાર કરવામાં આવે તો તેનાથી દૂર રહો અને સ્થાનિક મુદ્દા જે પાર્ટી પ્રચાર કરે તેને ધ્યાનમાં રાખો.
આ ઉપરાંત તમારા ઉમેદવાર ની સંપૂર્ણ વિગત મેળવો તે કયા સ્થળ પર રહે છે તેમજ તેનું શિક્ષણ કેટલું છે સમાજમાં તેની પ્રતિષ્ઠા કેટલી છે.

મતદાન પહેલા ધ્યાનમાં રાખવાની બાબત
મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમારા વિસ્તારમાં અનેક પાર્ટીઓ માંથી અનેક ઉમેદવારો ઉભા રહ્યા હશે પરંતુ આપણે ચાર મત આપવાના હોય છે.
આ ચાર મત આપણે ચાર અલગ-અલગ પાર્ટીને પણ આપી શકીએ છીએ કે કોઈપણ એક પાર્ટીને પણ આપી શકીએ છીએ.
બુથ માં જતાં જ તમારે જે પ્રક્રિયા થતી હોય તે પતાવ્યા બાદ ઈવીએમ મશીનમાં તમામ ઉમેદવારોના નંબર તેની સામે બાજુમાં તેનું નામ અને તેની બાજુમાં તેનું પાર્ટી નું ચિન્હ આપવામાં આવ્યું હશે તો તમારે તે પાર્ટી ના ચિન્હ પર દબાવીને તમે પોતાનો મત આપી શકો છો આમ તમે ચાર અલગ-અલગ ઉમેદવારોને મત આપી શકો છો આ ઉપરાંત એક નોટાનો ઓપ્શન હોય છે કે ઉપરના પૈકી એક પણ નહીં તેને પણ તમે મત આપી શકો છો આ ચાર વાર બટન દબાવ્યા બાદ છેલ્લે તમારે સબમિટ કરવાનું હોય છે એટલે તમારા ચારે ચાર મત માન્ય ગણાશે એટલે તમારે કુલ પાંચ વાર બટન દબાવવા ના રહેશે.

ઉપરોક્ત આપેલી માહિતીઓ અને તમામ બાબતો એ મારા પોતાના મંતવ્યો છે જો તમને એમાં કોઈ ભૂલ જણાતી હોય કે કોઈ અન્ય વિગત કે માહિતી ઉમેરવા જેવી લાગતી હોય તો કોમેન્ટ માં જણાવો
શું તમે વિદ્યાર્થી છો?
તો તમારે શિક્ષણ ના મુદ્દા પર કામ કરતી પાર્ટીને મત આપવો જોઈએ.

શું તમે વૃદ્ધ છો અને કોઈ બિમારીથી પિડાય રહ્યા છો?
તો તમારે સારી સ્વાસ્થ્ય સુવિધા આપવાના મુદ્દે કામ કરતી પાર્ટીને મત આપવો જોઈએ.

શું તમે નોકરી કરો છો અને તમારે દરરોજ પાર્કિંગના મુદ્દે મુશ્કેલીઓ સહન કરવી પડે છે?
તો તમારે સારી પાર્કિંગની સુવિધા આપવાના મુદ્દે કામ કરતી પાર્ટીના મત આપવો જોઈએ.

શું તમને લખવાનો,ગાવાનો, રમત-ગમતનો કે તરવાનો શોખ છે ?
તો તમારે સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે સુવિધા આપવાના મુદ્દે કામ કરતી પાર્ટીને મત આપવો જોઈએ

શું તમે જાહેરમાર્ગો કે રોડ રસ્તા ધંધો કરી રહ્યા છો અને smc વાળા તમને હેરાન કરી રહ્યા છે?
તો તમારે આ મુશ્કેલીનો હલ આપતી પાર્ટીને મત આપવો જોઈએ

શું તમારે રોજ બીઆરટીએસ બસમાં મુસાફરી કરવાનું થાય છે?
તો બીઆરટીએસ બસની મુસાફરી માં પડતી અગવડતા ને દૂર કરનાર પાર્ટીને મત આપવો જોઈએ

શું તમે સરકારી કચેરીના ધક્કા ખાઇને થાકી ગયા છો?
તો તમારા માટે આ વ્યવસ્થા સરળ બનાવનાર પાર્ટીને મત આપવો જોઈએ

શું તમે ઘરકામ કરતી ગૃહિણી છો?
તો તમારે પાણી વેરો,સારી સફાઇ વ્યવસ્થા ને તેમજ તમારા બાળક અને પરિવાર ના સ્વાથ્ય સબંધી કામ કરનાર પાર્ટીને મત આપવો જોઈએ.

શું તમે રસ્તા પર રખડતા પ્રાણીઓ જેવા કે (ગાય ભેંસ કુતરાથી) પરેશાન છો?
તો તમારે આ પ્રાણીઓ માટે એનિમલ club બનાવનાર પાર્ટીને મત આપવો જોઈએ.

આ ઉપરાંત અન્ય મુદ્દાઓ જે તમારી પરિસ્થિતિ મુજબ લાગુ પડતા હોય તેને પણ ધ્યાનમાં લઈને મત આપવો જોઈએ
સમય અંતરે આ કામ કેટલે પહોંચ્યા અને ઉમેદવાર આ કામનો હિસાબ આપે છે કે નહીં તે તમામ સોસાયટીએ ઉમેદવાર પાસેથી હિસાબ માગવો જોઈએ અને જો આ કામ ન થાય તો આવનારી ચૂંટણીમાં જે તે પાર્ટી નો બહિષ્કાર કરવો જોઈએ


કેવિનકુમાર ચાંગાણી 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન ...

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક........................

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(g...

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                          ...

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ ...

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતા...

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય...

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક...

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે...