મુખ્ય સામગ્રી પર જાઓ

શું રક્ષક બનયો ભક્ષક? ટ્રેક્ટર પરેડ ને લગતા તમારા સવાલોના જવાબો

 

        26/1/2021 ની ધટનાનુ સમગ્ર વિશ્લેષણ 

https://www.instagram.com/tv/CKgc1s1ByQt/?igshid=1ozs3aqfqkli8





ઉપર આપેલા વિડીયો સૌપ્રથમ જોવા ત્યારબાદ નીચેના તર્કને વાંચવાનો પ્રયત્ન કરો

ખેડૂતોના પક્ષમાં તર્ક
1. જેમાં પહેલી ઘટના જે બની છે તેની અંદર ખેડૂતો છે એ પોલીસ ને બચાવી રહ્યા છે અન્ય ખેડૂતો થી કે જે પોલીસને માર મારી રહ્યા હતા.
2.જ્યારે ઉપરના વીડિયોમાં અન્ય ઘટના એવી બતાવવામાં આવી રહી છે કે રેલી ચાલુ હોય ને ત્યાથી એમ્બ્યુલન્સ પસાર થાય છે તો ખેડૂતો એમ્બ્યુલન્સને જવા માટેની જગ્યા આપે છે.
3.ઉપરના એક વિડિયો માં બતાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતો દ્વારા પોલીસને પાણી આપવામાં આવી રહ્યું છે
4.આ ઉપરાંત ખેડૂતો દ્વારા લાલ કિલ્લા ની પાસે રાષ્ટ્રગાન પણ ગાવામાં આવી રહ્યું હતું.
5.ઉપરના જ એક વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે લાલ કિલ્લા ઉપર જે કંઈ ખેડૂતો દંગા કરવા માટે ચડ્યા હતા તેને નીચે ઉતારવામાં અન્ય ખેડૂતો દ્વારા જ પોલીસને મદદ કરવામાં આવી રહી છે.
5.ઉપરના જે ત્રણ ચાર પાંચ મુદ્દા છે તે એક પણ ન્યુઝ ચેનલ માં બતાવવામાં આવ્યા નથી


ખેડૂતોની વિરુદ્ધમાં તર્ક
1.નિહંગ શીખ જેના દ્વારા ખુલ્લી તલવારે પોલીસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે
2.આ ઉપરાંત લાલ કિલ્લા ઉપર ખેડૂત સંગઠન નો ઝંડો ફરકાવવામાં આવ્યો એ પણ ખુબ જ શરમજનક ઘટના કહી શકાય છે.
3. ખેડૂતોને 9 root માંથી માત્ર ને માત્ર 3 root આપવામાં આવ્યા હતા પરંતુ ખેડૂતો દ્વારા કે અમુક અપવાદ રૂપ તત્વો દ્વારા આ રૂટ નું પાલન કરવામાં આવ્યું નહીં અને ખરાબ વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
4. આપણે જાણીએ છીએ કે બે લાખ અઢી લાખથી પણ વધુ ટ્રેક્ટરો દિલ્હીની બહાર જે બોડર છે ત્યાં જોવા મળી રહ્યા છે કેટલાક સમયથી ખેડૂતો દ્વારા ઘણી બધી પ્રેક્ટિસ પણ આ પરેડ માટે કરવામાં આવી હતી એવું પણ છેલ્લા કેટલાક સમયથી ત્યાં આપણે ન્યૂઝમાં જોઈ રહ્યા હતા પરંતુ જો આટલી મોટી સંખ્યામાં કોઈપણ પરેડ કાઢવામાં આવે તો તેની અંદર કોઈ પણ અપવાદરૂપ કે અસામાજિક તત્ત્વો ઘૂસી જવાની સંભાવના રહે છે એટલા માટે ખેડૂત નેતાઓને સમજી-વિચારીને અમુક સંખ્યામાં જ ખેડૂતોને પરેડ કરવાની પરવાનગી આપવી જોઈતી હતી. જ્યારે કોઈપણ આંદોલન આટલી મોટી સંખ્યા ની અંદર થતું હોય છે ત્યારે અમુક નેતાઓ દ્વારા તેને સમજાવવું મુશ્કેલ થતું હોય છે એટલા માટે આ આંદોલન ઉગ્ર થવાની સંભાવના રહેતી હોય છે એ બાબતને ધ્યાનમાં રાખીને અમુક સંખ્યાને જ દિલ્હી ની અંદર પ્રવેશ કરવા દેવો એવું ખેડૂત નેતા દ્વારા નક્કી કરવાની જરૂર હતી
5. આ આંદોલન ની અંદર તમામ ધન ગાયોના કેટલા કિસાનો પણ હતા બંગાળીઓને જોઈને કિસાનો ઉગ્ર થયા અને તેને પોલીસ ઉપર પ્રહારો કર્યા એ પણ એક ખરાબ બાબત છે.
6. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ કે જે હાલમાં આંદોલનમાંથી નીકળી ચૂકયું છે પરંતુ આ સંઘર્ષ સમિતિના વલણ એ બીજા સંગઠન કરતાં કંઈક અલગ જોવા મળ્યા છે અને સૌપ્રથમ બેરીકેડ તોડનાર આજ સમિતિ હોય એવું મનાઈ રહ્યું છે એની પાછળ કારણ એ આપવામાં આવે છે કે આ સંગઠનને 25 તારીખે રાત્રે જ નક્કી કરી નાખ્યું હતું કે જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે ત્યાંથી નહીં પરંતુ બીજા રોડથી આપણે જઈશું

પોલીસનો લાઠીચાર્જ
1.ઉપરના વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ખેડૂતોએ બેરીગ તોડવાની કોશિશ કરી તેની સામે પોલીસ લાઠીચાર્જ કરી રહી છે તેમ જ એક ટ્રેક્ટર કે જે આગળ વધી રહ્યું છે તેના ઉપર ખૂબ ઢોરમાર મારવામાં આવી રહ્યો છે
2.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે ખેડૂતોને રૂટ આપવામાં આવ્યા હતા તે રૂટ ઉપર પણ ખેડૂતોએ બેરીકેટ લગાવ્યા હતા જેના કારણે ખેડૂતો ઉગ્ર બન્યા હતા.











મીડિયાની ભૂમિકા
1. અનેક ટીવી ચેનલ માં બતાવવામાં આવી રહ્યું છે કે પોલીસની ગોળી વાગવાથી ખેડૂત નું મૃત્યુ થયું પણ તેનું સચ્ચાઈ એ છે કે ટ્રેક્ટર પલટી જવાથી ખેડૂત મૃત્યુ થયું હતું .
2. અમુક ટીવી ચેનલો કે જે કોઈ એક પક્ષ માટે કામ કરી રહી હોય તેમ કોઈ એક સાઈડ ના જ ન્યુઝ બતાવી રહી છે ખેડૂતોના આંદોલનની અને આજે કાંઈ લાલ કિલ્લા ઉપર ઘટના બની અને સંપૂર્ણ રેલીની જે સારી બાબતો છે તે બતાવવામાં આવી નથી.

સરકાર ની ભૂલ
1. જ્યારે કોઈ પણ વ્યક્તિ એક વાર ભૂલ કરે તો તેમાંથી શીખ લઈને તે ભૂલ ફરી ન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ તેમાંથી સરકારે કોઈપણ પ્રકારની શીખ લીધી નથી હું એ કહેવા માગું છું કે જ્યારે caa bill બહાર પાડવામાં આવ્યું ત્યારે પણ દિલ્હી ની અંદર આ જ રીતે ઘટના બની હતી અને દંગા પણ થયા હતા અને એ જ પરિસ્થિતિ આ સમયે છે જ્યારે caa ના સમયે પણ સરકાર ઝૂકી નથી અને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહોતો એ જ રીતે ખેડૂતોના આંદોલનમાં પણ સરકાર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી અને 60 દિવસ થઈ ગયા હોવા છતાં પણ સરકાર આ મામલા નું જલ્દી નિરાકરણ લાવી શકવા માટે સક્ષમ નથી એટલે સરકારની થોડી ભૂલો અહીં જણાઈ રહી છે
2. આ સિવાય બીજી ભૂલ સરકારે આવા કોઈ પણ વિવાદ સર્જાય તેવા બિલ બહાર પાડતાં પહેલાં દેશની અંદર તેનો ખૂબ પ્રચાર કરવો જોઈએ અથવા તો દેશના લોકોને જાગૃત પહેલેથી જ કરવા જોઈએ અને પહેલેથી જ સપોર્ટ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ એનું કારણ એ છે કે સરકાર પાસે પૂર્ણ બહુમત છે એટલે તે પસાર તો કરી જ દેશે બિલ પરંતુ પસાર થયા બાદ દંગા ન થાય એ માટેની સિચ્યુએશન ને નિવારણ લાવવા માટે સરકારે પહેલેથી જ તૈયાર રહેવું જોઈએ.

મારા મત અનુસાર
1. ઘણા બધા લોકોએ મને જણાવ્યું કે આ જે દંગા થયા એમાં સરકાર નો ભાગ છે કે ખેડૂતો જ એવા ખરાબ છે કે ખેડૂતોએ જ આ ધંધા કરાવ્યા છે પરંતુ ક્યારેય કોઈપણ એક્સાઇડ ને દોષી ઠેરવી શકાય અને બંનેનો થોડો થોડો ભૂલ હશે જે ઉપર તમને જણાવી દેવામાં આવી છે કે કોના થી શું ભૂલ થઇ પરંતુ જ્યારે આટલું મોટું ઉગ્ર આંદોલન થતું હોય છે ત્યારે દેશમાં રાજનીતિ નો માહોલ ખૂબ જ ગરમ થઈ જતું હોય છે એટલા માટે પક્ષ અને વિપક્ષ એમ બંનેના તર્ક સાંભળવો જોઇએ અને ત્યાર બાદ પોતાનું એક નિર્ણય લેવો જોઈએ એટલે મારા મત મુજબ સરકારની પણ આ દંગામાં ભાગીદારી હોઈ શકે છે વિપક્ષની પણ આ દંગામાં ભાગીદારી હોઈ શકે છે અને કિસાનોની પણ આ દંગામાં ભાગીદારી હોઈ શકે છે એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમુક અપવાદ રૂપ તત્વો આંદોલનને બગાડવાની કોશિશ કરે છે તેને જોઈને જે સીધા માણસ સામાન્ય માણસ હોય છે તે પણ ઉગ્ર બની જાય છે અને તે પણ અમારો કરવાનું ચાલુ કરી દેશે આથી કિસાન અને દંગા એમાં કોઈ પણ ફરક રહી જતો નથી
2. કેટલાક અસામાજીક તત્વો ખેડૂત ની પરેડ ની અંદર ઘૂસી આવ્યા હતા જેના કારણે આ સમગ્ર ઘટના બની હતી આ ઉપરાંત સરકારે પણ ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા આ ઘટના બનવાની છે તેની જાણકારી રાખવાની જરૂર હતી આપણે કહી શકીએ છીએ કે રેલીમા કિસાનોની સમગ્ર જવાબદારી હતી પરંતુ સરકારને પણ થોડી જાગરૂકતા દેખાડવાની જરૂર હતી
3. ત્રીજી બાબત હું તમને જણાવીશ કે ખેડૂતનું કામ એ ખૂબ જ વ્યસ્ત હોય છે તે ક્યારેય નવરો પડતો નથી તે હંમેશા વ્યસ્ત હોય છે અને આ પંજાબ અને હરિયાણાના ખેડૂતો 60 દિવસથી આંદોલન કરી રહ્યા છે તો પોતાનું ઘર તે કેવી રીતે ચલાવી રહ્યા હશે અને આંદોલન ની અંદર જે ખર્ચો થઈ રહ્યો છે તે ખર્ચો ક્યાંથી આવી રહ્યો છે તેમજ બે અઠિ લાખ કે તેનાથી પણ વધારે ટેકટર એ બોર્ડર ઉપર ક્યાંથી આવ્યા જો બધા જ ખેડૂતો પાસે ટેકટર છે તો આ ખેડૂતોએ ગરીબ ન કહેવાય આ ખેડૂતોએ ધનવાન કહેવાય અને આમ પણ સમગ્ર વિશેષણ કરીએ તો સમગ્ર દેશ કરતાં પણ વધુ ટેકનોલોજી અને બિયારણની કક્ષાએ પંજાબ અને હરિયાણાના ખેડૂતો ખૂબ જ આગળ છે.
4. અહીં હું એક તર્ક આપવા જઈ રહ્યો છું કે ભારતની જેટલી રાષ્ટ્રીય સુરક્ષા ની એજન્સી હોય છે તેની જવાબદારી હોય છે કે દેશની અંદર કોઈપણ ખરાબ ઘટના ન બને ખરાબ ઘટના એટલે કે આંતકવાદી ઘટના એટલા માટે આવડા મોટા આંદોલનને આટલી મોટી ટ્રેક્ટર રેલી નીકળે તો તેમાં કોઈપણ આંતકવાદી ઘટના બનવાની સંભાવના પણ હોય શકે તો આ એજન્સીઓ જ પોતાની સ્પષ્ટપણે તપાસ કરે તો તેને જાણ હોય જ છે કે આવા કોઈ દંગા થવાના છે. અને જો ન ખબર હોય તો આ દેશની રાષ્ટ્રીય એજન્સી ઓની મોટી ના કામયાબી કહેવાય.
5. દીપ સિંધુ કે જેની લાલ કિલ્લા ઉપર ઝંડો ફરકાવવામાં ખૂબ જ મોટી ભૂમિકા રહી હતી તે નિશાન સાહેબ નો ઝંડો ફરકાવીને તરત બુલેટ લઈને ભાગી જતો હોય એવું એક વીડિયોમાં જણાઈ રહ્યું છે એટલા માટે એવું કહી શકાય કે આ પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યું હતું.




આંતરરાષ્ટ્રીય છબી 
1.ઉપરના વીડિયોમા બતાવવામાં આવી રહ્યું છે કે અમેરિકાની અંદર રહિ રહેલા શિખ છે તેના દ્વારા ખાલિસ્તાન ના સપોર્ટ માટે એક વીડિયો બનાવવામાં આવી રહ્યો છે જેમાં તિરંગાને સળગાવવામાં આવી રહ્યો છે જે એક ખુબ જ શરમજનક બાબત છે આ ઉપરાંત 2.બીબીસી ન્યુઝ ના વિડીયો ની અંદર તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા જે કાંઈ ભૂલો કરવામાં આવી છે તે વિશ્વના ન્યૂઝ પેપર ની અંદર બતાવવામાં આવી છે અને ખેડૂતો દ્વારા જે કંઈ મંતવ્ય આપવામાં આવ્યા છે તે મંતવ્યો વિશ્વના ન્યુઝ ચેનલોની અંદર છાપવામાં આવ્યા છે.

મિત્રો આ માત્ર મારા મંતવ્ય છે જો આમાં તમને કોઈ પણ ભૂલ જણાય કે વિરોધમાં તર્ક જણાય તો તમે કોમેન્ટ માં જણાવી શકો છો અને મારા વિચારોને બદલી શકો છો

 ધન્યવાદ 
કેવિન કુમાર ચાંગાણી

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

તમારી સલાહ અને મંતવ્ય મને વ્યક્તિગત જણાવી શકો છો.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

'કચ્છવાણી'

'સાધારણ વ્યક્તિની અસાધારણ સફર'                'શિયાળે સોરઠ ભલો, ને ઉનાળેગુજરાત,       ચોમાસે વાગડ ભલો, ને (આપણો)કચ્છડો બારે માસ.’ મિત્રો , આજે સીટ બેલ્ટ બાંધીને એકદમ તૈયાર થઈ જજો કારણ કે આપણે જવાનું છે એક સોરઠની સફરમાં ઍક એવી સફર કે જેની ધરતી પર ગુજરાતના રક્તરંજિત ઈતિહાસની સુગંધ આવે છે. તેમજ "પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી અહોભાગ્ય ભૂમિ, શૈલે, સરિતા,સમુદ્રની ઉજ્જવલ એવી આશાપુરા ભૂમિ, કલા ,સાહિત્ય ,સ્થાપત્ય અને સંસ્કૃતિ જેવા 4 માનવ સર્જક ધરાવનારી અષ્ટભૂજા આશાપુરી ભૂમિ એવા કચ્છની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ" આ સફર મેં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત NSS નેશનલ ડે સેલીબ્રેશન સંદર્ભે પોતાની આવડત ને રજુ કરવા જઈ રહ્યા હતા અનેક સાધારણ અસાધારણ વ્યક્તિની છે. ખરેખર આ સફરમાં જે લાગણી ના તાંતણા ઓ બંધાણા છે એ જિંદગીભર તૂટે નહીં તેવા છે.આ સફરમાં અમે 25 વ્યક્તિઓ હતા જેમાંથી કેટલાક સુરત કેટલાક vapi કેટલા વલસાડના હતા. અમે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું હતું અમે ટ્રેનમાં આટલી મોટી લાંબી મુસાફરી પહેલીવાર કરી રહ્યા હતા સૌપ્રથમ તો સુરત રેલવે સ્ટેશન ...

સંગાથે કોતરેલું નામ

  સહાયક: Kevinkumar changani          કોરોનાના કાળની શરૂઆત અને ધોરણ ૧૨ ની પરીક્ષાની સમાપ્તિ વચ્ચે રચાકચી નો ખેલ ચાલી રહ્યો હતો. હેમ ખેમ બધા જ વિદ્યાર્થીઓ એ પરીક્ષા પૂર્ણ કરી અને કોરોના વેકેશનની મજા માણતા હતા. મજા માણતા માણતા ક્યારે પરિણામ નો સમય આવી ગયો એ ખબર જ ના પડી પરીક્ષાનું પરિણામ જાહેર થતાની સાથે અમુક બાળકો માં ખુશી અને અમુક માં નિરાશા હતી એમાં હયાન અને હયાત પણ સામેલ હતા. હયાત અલગ શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને હયાને પણ અલગ શાળા માં અભ્યાસ કર્યો હતો પરંતુ બંને ના પરિણામ સરખા આવ્યા હતા. તેમની બંને ને ખુશી હતી. હવે પરિવાર સાથે વાતચિત કરી અને કઈ કોલેજ માં અભ્યાસ કરવો તે વિચારી રહ્યા હતા. ટકાવારી બંને ની સારી હોવાના કારણે પ્રવેશ પણ સારી કોલેજ માં મળે એમ હતો એટલે બંને ના પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે સુરત ની સારામાં સારી કોલેજ માં પ્રવેશ લઇ અને અભ્યાસ કરવો અને પરિવાર ની સહમતી થી આગળ ના દિવસે બંને એ પ્રવેશ લેવા જવા માટે નક્કી કર્યું.   સવારનો સુંદર સમય હતો અને ઘડિયાળના કાંટા ફરી રહ્યા હતા ટીક ટીક ટીક ટીક........................

'જીવતી લાશ'

                                 'જીવતી લાશ' વિદ્યાર્થી સંઘની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા. ક્યાં ડરનો માહોલ હતો તો ક્યાં ખુશીનો માહોલ હતો. બધા જ પોતપોતાની યોજના બનાવવામાં મશગુલ હતા. હું આ સમયે મારા કોલેજના પ્રથમ વર્ષમાં હતો આથી મને આ સંદર્ભે વધુ જ્ઞાન તો ન હતું. પરંતુ રાજનીતિમાં રસ હોવાના કારણે વધુ જાણવાની ઈચ્છા જરૂર હતી આથી કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે ને તે કેવા વ્યક્તિઓએ તેની તમામ માહિતીને ગમે તેમ કરીને કઢાવી પાછળથી મને જાણ થયું કે, છેલ્લા કેટલાય વર્ષોથી કોલેજમાં આ પ્રકારની કોઇ મોટી ચૂંટણી લડાઈ નથી. જે પક્ષ વિરુદ્ધ અમારા કેટલાક મિત્રો દ્વારા ચૂંટણી લડવામાં આવી હતી તેની હિંમત જોઈને મેં નક્કી કર્યું કે, મારે કયા પક્ષ તરફ જવું છે. એક પક્ષ ઍવો હતો કે જેને કોઈ વિચારધારા નથી કોલેજમાં શું કામ કરવા છે એનો કોઈ વિચાર જ ન હતો અને એક પક્ષ લેવો હતો કે જેને વ્યવસ્થિત રીતે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કાયદાકીય રીતે ચૂંટણી લડી રહ્યો હતો. આ સંદર્ભે ચૂંટણીના થોડા દિવસો પહેલા મે અમારા પક્ષના વિધાર્થી પ્રતિનિધિ(g...

Love:A thrilling experience

                                 પ્રેમ                                આપણે સોએ ધણી બધી લવ સ્ટોરી સાંભળી કે જોઇ છે. જેમાં જાત-જાત અને ભાત-ભાતની વાતો સાંભળી છે. પ્રેમ શીખવવાની કોઈ શાળા નથી અને પ્રેમ પ્રેકટીસથી ન થાય તે તો થઈ જાય છે. તે કરવામાં નથી આવતો તેની કોઈ રીત કે પદ્ધતિ નથી કે કોઈ ભાષા નથી તે એક વિચાર છે. એટલે કે પ્રેમ એટલે વિચાર જેમ લોકોના વિચાર જુદા-જુદા હોય છે તેમ પ્રેમ પણ જુદો-જુદો હોય છે વિધાથીને પોતાના પુસ્તકમાં પ્રેમ. પાઇલટને પોતાના વિમાનમા પ્રેમ. સરકારને પોતાની સતામાં પ્રેમ. સાધુ-સંતોને સત્સંગમાં પ્રેમ. ધરતીને આકાશ સાથે ને પર્વતને ઝરણાના  કુદરતી પ્રેમ જોવા મળે છે. એટલે તો કહેવાય છે, કે પ્રેમ એક સુગંધ છે. જે વ્યક્તિને વ્યક્તિમાંથી પ્રેમી બનાવે છે. પ્રેમમાં કયારેય પ્રોબ્લેમ હોતો જ નથી .તેમાં તો ફકત સોલ્યુસન હોય છે.                          ...

આજના પ્રેમિઓની હકિકત

                                આજના પ્રેમિઓની હકિકત                   બે અક્ષર નો શબ્દ ને કેટલુ બધુ કહિ જાય છે. આપણા ધાર્મીક ગ્રંથોમા જ પ્રેમની ગાથાઓ લખવામા આવિ છે.શરુઆત રાધા-કૃષ્ણ  પ્રેમથી થાય. ગોપીઓઍ  કૃષ્ણ સાથે કેવી રાસ લિલાઓ રચાવી હતિ. એટલે તો આજના સમય ના પ્રેમિઓ કહે છે કે જો કૃષ્ણએ ગોપિઓ સાથે રાસલિલા રચાવતા હોય તો પછી અમારો શું વાંક? ફરક ફક્ત એટલો જ પડયો છે કે ઍ સમયે  રાસલીલાઓ થતી હતી અને અત્યારે mordrn સમય કંઈક અલગ જ લિલાઓ થાય છે. જો ઍ સમયે કૃષ્ણ 1600 રાનીઓ રાખી શકે તો અત્યારના સમયમા ઍક છોકરાને  ઍક કે તેથી વધુ  girlfriend રાખવામા શું  પ્રોબ્લેમ? ખરેખર અત્યારના સમયની લિલાઓ  કંઈક અલગ જ છે. આટલા બધા ભણેલ-ગણેલ પ્રેમિઓ ખરાબ ગંદકી વાળી જગ્યા કે પોપડા મા બેસવા જાય છે બોલો. પણ બિચારા જાય તો જાય ક્યાં? ગાર્ડનમા જાય તો ત્યા પણ પોલીસ ના માણસો આવી જાય છે. અત્યારના સમયમા પ્રેમી ઓ friendship થી શરુઆત કરે છે. બે દિવસ પછી પ્રેમ ...

યુવાનો માટે

                                  યુવાનો માટે               આપણે બધા જ જાણીએ છીએ કે ભાગવતગીતાએ એક ઉદેશ છે.  એક વિચાર છે. જે લોકોને પ્રેરણા આપે છે. અને પ્રેરણા(motivation) ની લોકોને જરૂર કયારે પડે? જયારે લોકોને પોતાના લક્ષ્ય સિદ્ધ કરવા હોય, સંધષો સામે લડવું , કોઈ કાર્ય કેવી રીતે કરવું તેની સમજ ન હોય તેવા અનેક કારણો માટે જરૂર જણાય છે. પરતું સામાન્ય રીતે મને એ ખબર નથી પડતી કે હિંદુધર્મમાં મોટાભાગના લોકો શા માટે ભગવદગીતાનું પઠન કરતાં નથી. લોકોને motivation ની જરૂર કયારે પડે? યુવાનીમાં સાચું ને! કે પછી કોઈ 30-35 વર્ષની ઉમરે ધંધો ચાલુ કરવા માટે એટલે જેમ-જેમ ઉમર થાય તેમ-તેમ લોહી ઠંડુ પડતું જાય છે. અને motivationની જરૂર ઓછી થતી જાય છે। પરંતુ આપના હિન્દુ ધર્મમાં વૃદ્ગાવસ્થામાં વૃદ્ધો ભાગવત ગીતા વાંચે છે. હવે બોલો આખી જિંદગી પૂર્ણ થઈ ગયા બાદ motivation શા માટેનું? મે આનો જવાબ મેળવવા જે વૃદ્ધો ભગવતગીતા વાંચે છે. તેની સાથે વાત-ચિત કરી તો મે તેને પૂછ્યું કે તમને વાંચતા...

जब जब प्यार पे पहेरा हुआ तब प्यार ओर भी गहेरा हुआ

                      21 દિવસનો પ્રેમ                        or                                        લોકડાઉન મા પ્રેમીઓની વ્યથા                                   મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો.  આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.                      આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય...

આતો મારો પ્રેમ હતો?

                    આ તો મારો પ્રેમ હતો? ખરેખર પ્રેમીઓનો પોતાના લક્ષ્ય નક્કી જ હોય છે. તેણે પોતાના ટાર્ગેટ સિવાય કઈ જ દેખાતું હોતું નથી. સવારે શાળા-કોલેજ જતી વખતે પોતાનો પ્રેમી કેટલા વાગે ઘરે થી નીકળ્યો છે? ક્યાં રહે છે ?એ બધી જ માહિતી એક પ્રેમી પાસે હોય છે. ચાલીને જાય તો ધીમે ધીમે તેની ચાલ ને જોવે તેની બેગ કેવા કલરની છે. તેના વાળ કેવી રીતે ઓળેલા છે. આવું નિરીક્ષણ જ્યાં સુધી શાળા-કોલેજ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી કરે છે અને એમાંય વળી સાઇકલ કે ગાડી લઈને જાય તો બંને ધીમે ધીમે સાઇકલ ચલાવે એકબીજાથી આગળ જવાનો પ્રયત્ન કરે , હોર્ન વગાડે વળી ગાડી હોય તો કાચમાં જોવે છે મારી પ્રેમી ગાડી ચલાવતા કેવી લાગી રહી છે? શાળા કે કોલેજ પર પહોંચીને પ્રાર્થના થતી હોય છે. પણ આ તો પ્રેમી છે. આંખો બંધ કરે તો એનો જ ચહેરો સામે આવે ને આંખો ખુલે તો પણ તેને જ જોવા માટે. ક્લાસરૂમની અંદર ભણાવતી વખતે વિજ્ઞાનમાં ન્યુટન બનીને આવે તો ક્યારેક તે સંસ્કૃતના શ્લોકો ગાતી જોવા મળે છે. ક્યારેક તો મને એવું લાગે છે કે તે મારી સાથે આઝાદીની ચળવળમાં પણ ખભે થી ખભો મિલાવીને ચાલતી હતી, ક...

બાળપણની મજા

                                                 બાળપણની મજા                          એક વાક્ય છે, જે આપણે ધણી વાર બોલીએ છીયે કે હવે આપણે મોટા થઇ ગયા. પરંતુ આપણે ક્યારેય મોટા થતાં જ નથી એ બાળપણની યાદો હમેશા આપની સાથે જ રહે છે. એ યાદો ક્યારેય ભૂલાતી નથી. ચાલો આપણે પણ નાનપણની  કેટ્લીક એવિ જ વાતો લઈએ. જયારે પણ નાનપણ ના ધણા બધા  મિત્રો મળિયે ત્યારે આપણે ધણી બધી વાતો અને યાદો ને યાદ કરીને હસીએ છીયે. ત્યારે એવું લાગે છે કે એ સમય ફરી આવી પડયો છે . એવું આપના પરિવાર માં આપણે આપના મમ્મી-પપ્પા સાથે પણ કરીયે છીયે . આપણે જયારે નાના હોઈએ ત્યારે મમ્મી-પપ્પા સાથે સૂઈ જાય છીયે પછી મોટા થતાં જ આપણને એક અલગ ઓરડો(room) આપવામાં આવે છે.મને તો યાદ છે પેલા  school કે Tution માં જે કાઇ આખો દિવસ  માં બને છે તે હું સાંજે ઘરે  જઈને મારા મમ્મી-પપ્પા સાથે શેર કરતો હતો પણ નથી હવે તે સ્કૂલ રહી કે નથી તે...